આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૦ : તુલસી-ક્યારો
'ના, સહેજ અમસ્થું.'
તે પછી રાત્રિ કેવી જશે તેના ગભરાટમાં કંચને કપડાં બદલવાનું ને ખાવાપીવાનું પતાવ્યું. પણ ભાસ્કરની એકેય ચેષ્ટામાં વિકલતા દીઠી નહિ. પોતાને સ્થાને એ જ્યારે રોજના કરતાં વિશેષ શીતળ સ્વસ્થતાથી સૂવા જતો હતો, ત્યારે એણે કંચનને એટલું જ કહ્યું :
'વેણીને અંદર રાખતી નહિ. બહાર ફેંકી જ દેજે ! લોકો કહે છે આંહીં સાપનો ભારી ડર છે. ફૂલો પર એ ન હોય ત્યાંથી આવી ચડે છે.'