લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મારાં લખાણ વાંચવાની ચાવી આ પુસ્તક ક્રી વાંચવાની મારી પાસે ફુરસદ નથી. કરી વાંચવાની ઇચ્છા પણ નથી રાખતો, મારી પાસે બીજું કામ ઘણું છે. મારી દૃષ્ટિ છે કે માણુસ રાજ આગળ વધે છે અથવા પાછળ પડે છે, કદી સ્થિર રહેતા નથી. જગત આખુ ગતિમાન છે. એમાં અપવાદરૂપે કાઈ નથી, કંઈ જ નથી. એટલે હું કાલે હતા એવા આજે હું અને એવા રહીશ, એવા દાવા કરું તો તે ખોટો છે. એવે મેહ પણ મારે ન રાખવે જોઈ એ. આટલું ખરું. મારાં લખાણા કે વચને એવાં હાવાં જોઈ એ કે તે કાઈ ને ભ્રમણામાં ન નાખે. એના એ અર્થ કે વધારે થઈ શકે એવું હું ન લખું. એટલે કે મારે લખવું, ખેલવું, આચરવું, તે સત્ય અને અહિંસાને નજરમાં રાખીને જ. મારી માની સાથે વચનબદ્ધ થયા ત્યારથી હું આમ કરતો આવ્યો છું, એમ કહી શકું. ખરું જોતાં તે હું સમજણો થયો ત્યારથી જ સત્યને ઉપાસક રહ્યો છું. . પણ આને અર્થ એ નથી કે સત્ય અથવા અહિંસાને મે હમેશાં પૂર્ણ પણે જોયાં છે, અથવા તે આજ જોઉ છું. સત્ય અને અહિંસા રાજ વધારે ને વધારે સ્પષ્ટ રીતે જો હું એવી મારી માન્યતા છે. તેથી વર્ણાશ્રમ હું આજે જોઉં છું તેમ હમેશાં જોયા છે એમ ન કહેવાય. વણુ અને આશ્રમ હિંદુ ધર્મની

  • હિંદુ નામ અપાયેલું છે. જે હિંદુધર્મને નામે આળખાય છે,

તેનું નામ માનવધર્મ છે; એટલે મનુષ્યમાત્રના ધર્મ એ ધર્મ નિત્ય શેષાય છે. એ અનત છે, એ નથી કહેવાતા વેદમાં કે નથી કહેવાતી મનુસ્મૃતિમાં. એ માનવ હૃદચમાં છે. અને જેમ તે સરકાર પામે તેમ તેના હૃદયમાં જાગે,