માણસ તરીકે પ્રત્યેકને પોતાના પુત્રનો જીવનદાતા કહી કહી પાઘડી બંધાવી.
છોકરા માથે પાણી ઢોળવાને દિવસે પ્રતાપનું ધ્યાન ગાળામાં પડેલી ચારઆનીની માદળડી પર ગયું. એણે પત્નીની સામે જોઈ કહ્યું :
“આ તમારી વિદ્યા હશે !”
“રે’વા દેજો, એ કાઢશો નહિ.”
“તમે આટલે વર્ષે પણ પિયરના સંસ્કાર ન ભૂલ્યા કે ? સારું થાયુ કે મને વશ કરવાની કોઈ આવી માદળડી મારી ડો’કે નાખવા નહોતા લઇ આવ્યા !”
“લાવી’તી !” એટલું કહીને એણે બે હાથના પંજાના આકડા ભીડીને પ્રેમ-માદળડીનો આકાર રચ્યો અને ઉમેર્યું : “નીકર તમે પણ ક્યાં બચવાના હતા ? ખીજડા-તલાવડીની પાળ ઉપરથી ઝોડ વળગ્યું”તું, વિસરી ગયા !”
“તને કોણે કહ્યું ?” પ્રતાપ શેઠ અપરાધીના રૂપમાં આવી ગયો.
“હવે....એ વાત જવા દઈએ.”
“પણ આ માદળડી ક્યારે નાંખી’તી ?”
“પછી કહીશ.”
પાણીઢોળે પૂર્ણ સ્ફૂર્તિમાં આવેલા બાળક ઉપર જ્યારે વર્ષોની ઊંઘનું ઘારણ વળ્યું હતું ત્યારે શેઠ-પત્નીએ ગર્વભેર બડાશ હાંકી કે તમારા વૈદ-દાકતરની માત્રા પાછળ બે હજાર રૂપિયાનું ખરચ કર્યું તો મને પણ એ માદળડીના બે હજાર ચૂકવો.”
“કોણે આપી ? ”
“નામ કહીશ એટલે ફૂટેલ કોડીની પણ કીમત નહિ રહે !”
“તોપણ કહો.”
“ફુલિયા વાઘરીએ.”
ફરીથી પાછુ વાઘરીઓનું કામણ-ટુમણ શરૂ થઇ ચુક્યું છે ને એનું મૂરત પોતાને ઘેરથી થયું છે એ વાત શેઠના હ્રદયમાં ખટકી. એણે થોડા