આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૭
વસુંધરાના વહાલાં-દવલાં
" તમારા વખતમાં કોઈ બાળક આંહીંથી ગુમ થયેલો ? "
" હા, એક હોઠકટો હતો. "
" કેવડો હતો ? "
" ચારેક વર્ષનો, પણ હઠીલો હતો. સલામ નહોતો ભરતો. "
" ભાગી ગયો છે ? "
" શું થયું તે ખબર નથી. "
" હોઠકટો હતો ? "
" હા, એના હોઠને દવાખાને નસ્તર મુકાવવું પડેલું. "
" કેમ ? "
" કૂતરીએ વડચકું ભરેલું. "
" કેમ કરતાં ? "
" કૂતરીને ધાવવા વળગેલો. " લાકડાની ઘોડીવાળા માણસે હસવું ખાળવા મોં આડે હાથ દીધા.
" તમે આંહીં શું કરો છો ? "
" મને આસિસ્ટંટ કાર્યકર્તા તરીકે નિમણૂક મળવાની છે. જૂના ' સાહેબજી બાપુ ' મરી ગયા તેમણે એક સીલબંધ કવર રાણી સાહેબને સોંપવા મૂકેલું છે. એમાં બધું લખ્યું હશે. "
" ઠીક. " કહીને પ્રતાપ શેઠ અાલવા લાગ્યા.
" આ તકતીઓ જોઈ આપે ? રૂપિયા ૫૦૦માં અમર નામ થઈ શકે છે. અહીં આપના કોઈ સદ્ગત બાળકના સ્મરણાર્થે..."
લૂલો જુવાન એવું બધું બોલતો રહ્યો, ને ગાડી ચાલી ગઈ.