પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘માર ઠીકાઠીકનો લાગ્યો છે એટલે હાથેપગે હજી કળ વળી નથી. આખું અંગ તૂટે છે,’ હી૨બાઈએ કહ્યું: ‘ફરીથી ખરડ કરીને હાથપગ શેકવા પડશે.’ અને પછી સહેજ સંકોચ સાથે પૂછ્યું: નવરી હો તો આ છીપરડી ઉ૫ર ખરડ વાટી દઈશ ?’

‘હં… ક… ને, શું કામ નહીં વાટી દઉં ?’ ચંપાએ હરખભેર કહ્યું, ‘મારે ઘેર જઈને કઈ હૂંડી વટાવવાની છે ? લાવો, અબઘડીએ વાટી નાખું.’

ઓસરીમાંથી છીપરડી ઉ૫ર ચંપા ખરડનો ભૂકો વાટતી હતી ત્યારે ખાટલામાં બેઠો બેઠો ઓતમચંદ પોતાની સામે ધરાયેલ ભોજનથાળને ભાવપૂર્વક અવલોકી રહ્યો હતો. હીરબાઈએ આપેલા અહેવાલ ઉપરથી એ સમજી ગયો કે ચંપા ઘરનાં માણસોથી છૂપી રીતે આ ભોજનથાળ અહીં લાવી છે. પરિણામે આ અર્ધ્યનું મૂલ્ય ઓતમચંદને મન અનેકગણું વધી ગયું.

જમતાં જમતાં ઓતમચંદે વાઘણિયે જવાની વાત છેડી ત્યારે એભલે કહ્યું: ‘હજી હાલતાચાલતા થ્યા મોર્ય વાઘણિયે કેમ કરીને જાશો?’

‘હું મારે ધીમે ધીમે પૂગી જઈશ.’

‘ના… રે, એમ તો હું તમને ગાડે બેસારીને મૂકી જાઈશ.’ એભલે કહ્યું.

‘પણ હવે આમેય બે દી મોડા ને આમેય બે દી મોડા જાવ એમાં શું ખાટુંમોળું થઈ જાવાનું છે?

‘ઘેરે સહુ વાટ જોઈ રિયાં હશે—કાગને ડોળે વાટ જોવાતી હશે—’

‘કાલ સવારમાં જ ગાડાવાળા હારે વાઘણિયે વાવડ મોકલાવી દઉં કે શેઠની વાટ જોશો મા, બેચાર દી રઈને આવી પૂગશે—’

‘ના, ભાઈ, ના. વાઘણિયે કાંઈ વાવડ મોકલજો મા,’ ઓતમચંદ કહ્યું:

૧૬૮
વેળા વેળાની છાંયડી