પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘આપણાં નસીબમાં ન સમાણું.’

‘એટલે ? શું થયું ? સરખી વાત કરો –’

‘વાત જાણે એમ થઈ કે ઈશ્વરિયેથી દકુભાઈએ તો આપણી ભવની ભાવટ ભાંગી જાય એટલું સારીપટ આપ્યું’તું… પણ…’

‘પણ શું થયું ? ઝટ બોલો, મારો જીવ ઊચક થઈ ગયો છે —’

‘પણ ગામમાં કાંટિયા વ૨ણની વસ્તી વધારે રહી ને, એટલે કોક જાણભેદુએ આ જ૨જોખમનો વે’મ રાખી લીધો હશે…’

‘હા… ઈશ્વરિયાના આય૨ તો મૂવા જમડા જેવા… ધોળે દીએ માથાં વાઢી નાખે એવા…’

‘તી એમાંથી કોક જાણભેદુને આ જરજોખમની ગંધ આવી ગઈ હશે… સમજી ને ?’ ઓતમચંદે પત્નીને બરોબર સમજાવી’તી, હું કોથળિયું લઈને વાઘણિયાને કેડે ચડ્યો… ને ખળખળિયે પહોંચીને જરાક પોરો ખાવા બેઠો કે તરત પછવાડેથી કોઈકે આવીને મને બોચીમાંથી ઝાલ્યો…’

‘અરર પીટડિયાવ…’

‘બોચી ઝાલીને બોલ્યા કે કાઢી દે સંધોય માલ—’

‘પછી ? પછી ?’

‘પછી તો એણે ધોલધપાટ શરૂ કરી… પણ હું શું આપણા બટુક જેવડો કીકલો થોડો હતો કે એમ બીકનો માર્યો માલ સોંપી દઉં ?’

‘એમ તી સોંપાતું હશે કાંઈ ?’

‘મેં તો સરાધાર ના જ ભણ્યે રાખી કે મારી પાસે કાંઈ છે જ નહીં… પણ જાણભેદુને પાકો વેમ હતો એટલે એણે તો હાથમાં પરોણી લઈને મને સબ સબ કરતી સબોડવા જ માંડી…’

‘મરે રે મૂવો રાખહ !’ લાડકોરે એ જાણભેદુને સ્વસ્તિવચન સંભળાવીને પછી પતિને પૂછ્યું: ‘સાચોસાચ તમને પરોણા સબોડ્યા ?’

‘વિશ્વાસ ન બેસતો હોય તો જોઈ લે, આ રહી વાંસામાં એની

મારો દકુભાઈ !
૧૯૧