પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૩૨

સંદેશો અને સંકેત
 


મંચેરશાના ‘કુશાદે’ બંગલાની પરસાળમાં બેઠો બેઠો નરોત્તમ પોતાના વહી ગયેલા જીવનવહેણનું સિંહાવલોકન કરી રહ્યો હતો. નાનીશી જિંદગીમાં બની ગયેલી મોટી મોટી ઘટનાઓ યાદ કરી કરીને એ હર્ષ અને શોકની મિશ્ર લાગણીઓ અનુભવી રહ્યો હતો.

જીવનની આ ગંગાજમના ઉપર વિચાર કરતાં કરતાં નરોત્તમનું ધ્યાન કમ્પાઉંડની બહારના રસ્તા ઉપર ગયું. એક યુવતી આત્મશ્રદ્ધાભે૨ કમ્પાઉંડનો દરવાજો ઉઘાડીને અંદર આવતી જણાઈ.

મંચેરશા તો અત્યારે ઘરમાં હતા નહીં, તેથી આ યુવતી કોને મળવા આવી હશે એ નરોત્તમને સમજાયું નહીં પણ યુવતી તો નરોત્તમ તરફ જ મુસ્કુરાતી આગળ વધી, તેથી નરોત્તમને વધારે નવાઈ લાગી.

પરસાળનાં પગથિયાં ચડતાં ચડતાં એ જાણે કે ક્રૂર૫ણે કટાક્ષમય બોલી: ‘કેમ છો, પરભુલાલ શેઠ?’

નરોત્તમ વધારે વિસ્મય પામીને આ આગંતુકને અવલોકી રહ્યો. આ અજાણી વ્યક્તિને મોઢેથી ‘૫રભુલાલ શેઠ’ જેવું સંબોધન સાંભળીને એ એવો તો ડઘાઈ ગયો હતો કે એને ‘આવો’ કહી આવકાર આપવાનું પણ ન સૂઝ્યું.

‘ઓળખાણ-પિછાણ કાંઈ પડે છે?’ યુવતીએ હિંમતભેર નજીક આવતાં પૂછ્યું: ‘કે પછી નરોત્તમભાઈમાંથી પરભુલાલ શેઠ થયા એટલે જૂનાં સગાંવહાલાં સહુ ભુલાઈ ગયાં?’

આવો સીધો ને સટ પ્રશ્ન સાંભળીને નરોત્તમ વધારે ગૂંચવણમાં

૩૨૪
વેળા વેળાની છાંયડી