પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૩૩

સ્વાર્થનાં સગાંઓ
 


‘આઈ કીલાએ તો દીકરાએ કમાલ કરી નાખી!’

શારદાની વિદાય પછી બહારથી આવીને બંગલામાં પ્રવેશતાં જ મંચેરશાએ કહ્યું.

‘શું કર્યું? શું કમાલ કરી?’ નરોત્તમ પૂછતો રહ્યો.

મંચેરશા હજી એમના તોરમાં જ બોલતા હતા: ‘આઈ ગામનાં મનીસ બી કમાલ છે!’

‘શું થયું? કીલાભાઈની વિરુદ્ધમાં કાંઈ—’

‘અરે વિરુદ્ધ શું, ને બિરુદ્ધ શું? આ તો કીલાને અદરાવવાની વાત કરે છે!’

‘હેં? કીલાભાઈને અદરાવવાની વાત?’ નરોત્તમે અધ્ધર શ્વાસે પૂછ્યું: ‘કોણ વાત કરે છે?’

‘સવારથી બપોર સુધીમાં ત્રણ જણા તો આવીને મને કહી ગયા.’ મંચેરશા બોલ્યા: ‘કે કીલાને સમજાવો કે અમારી દીકરી સાથે લગ્ન કરે!’

‘ખરેખર?’

‘હા, બધા જાણે છે આય મંચેરશા બાવા કીલાના ભાઈબંધ છે. એટલે સહુ મને જ કહેવા આવે છે કે શિરસ્તેદાર સાહેબને સમજાવો.’

નરોત્તમને માટે આ સમાચાર અણધાર્યા હતા. આરંભમાં એને જરા આશ્ચર્ય થયું, પણ પછી આનંદ અનુભવ્યો. ઉત્સાહભેર એણે મંચેરશાને પૂછ્યું: ‘તે હવે કીલાભાઈ પરણશે?’

‘ક્રૉનિક બેચલર તે કોઈ દહાડો પરનતા હશે કે?’ મંચેરશાએ

સ્વાર્થનાં સગાંઓ
૩૩૫