પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘તો પછી કોને?’ મંચેરશાએ મૂંઝવણમાં પૂછ્યું: ‘તલાટી સાહેબની—’

‘ના, એ પણ નહીં !’

ત્રીજા પ્રશ્નનો પણ નકારમાં ઉત્તર સાંભળીને મંચેરશા અને નરોત્તમ બંને જણ વિમાસણમાં પડી ગયા. થોડી વાર તો તેઓ વધારે મૌખિક પ્રશ્ન પૂછવાને બદલે કુતૂહલભરી આંખે કીલા સામે તાકી જ રહ્યા. મંચેરશાની અને નરોત્તમની ચાર-ચાર આંખ જાણે કે મૂંગા પ્રશ્નાર્થ ફેંકી રહી: કોણ? કોણ? કોણ? કોણ?

આ અવ્યક્ત કુતૂહલ સંતોષવા જ કીલાએ મંચેરશાને ઉદ્દેશીને કહ્યું, ‘તમે આપણા જૂઠાકાકાને ઓળખો છો ને?—આપણે નાના હતા ત્યારે વાડીએ પોંક ખાવા લઈ જતા એ?—’

‘બેરિસ્ટરકાકાની દફતર-પેટી ઉપાડતા, એ જ કે?’

‘હા, એ જ—’

‘તે એવન હજી લગી જીવતા છે કે?’

‘હા, પણ મરવાને વાંકે—’

‘શું કરે છે એ?’

‘અહીં અપાસરામાં પગીની નોકરી કરે છે. સંજવારી કાઢે, સાધુ-સાધ્વીની સેવા કરે, મકાનની દેખરેખ રાખે.’

ચકોર નરોત્તમ આટલી વિગત ઉપરથી ઘણું ઘણું સમજી ગયો. એને યાદ આવ્યું કે તે દિવસે હું કીલાભાઈ પાસે બેઠો હતો ત્યારે આ ડોસા કશીક ખાનગી વાત કરવા આવેલા અને મને બહાર બેસાડવામાં આવેલો.

મંચેરશા ઉત્કંઠ બનીને અધખૂલા મોંએ આ ડોસા વિશે વધારે વિગતો સાંભળવા તલપાપડ થઈ રહ્યા હતા, એને કાને શબ્દો અથડાયા:

‘એ જૂઠાકાકાની દીકરી મોંઘી સાથે હું આવતી કાલે પરણવાનો છું—’

નરોત્તમને આ સમાચારમાં બહુ આશ્ચર્ય ના લાગ્યું, પણ મંચેરશા

બંધમોચન
૩૮૩