પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘બેન અમે નગણાં નીકળ્યાં... તમારા આટઆટલા ગણ ઉપર અવગણ કર્યો... અમને કમત સૂઝી... અમારે હાથે કાળાં કરમ થઈ ગયાં છે... તમે તો સમદ૨પેટાં છો... ભલાં થઈને અમારો વાંક ભૂલી જાવ—‘’

લાડકોર તો દિગ્મૂઢ બની ગઈ. સમરથ શું બકી રહી છે એ જ એને ન સમજાયું.

‘શેનો વાંક? શી વાત છે?’

‘તમે તો સંધુય જાણો છો!’ સમ૨થે કહ્યું.

લાડકોર સમજી કે ભોજાઈ હજી પેલા વાસ્તુપ્રસંગે મોહનમાળાના દાગીનામાંથી થયેલ કજિયાની વાત કરી રહી છે, તેથી એણે તો ભોળેભાવે કહ્યું:

‘અમે તો ભૂલી જ ગયાં છીએ, પછી માફ કરવાપણું રહ્યું ક્યાં? વાસ્તુની વાત તો વાસ્તુ ભેગી થઈ ગઈ. હવે એને યાદ કર્યો શું વળે? ગઈ તિથિ તો બ્રાહ્મણેય ન વાંચે—’

‘લાડકોરની આ ગે૨સમજે સમરથના મનમાં વળી બીજી ગેરસમજ ઊભી કરી. એને થયું કે ઓતમચંદ ઉપર ઓઢાડેલી ચોરીના આરોપની વાત તો નણંદ જાણે જ છે, અને ઇરાદાપૂર્વક વાસ્તુપ્રસંગની ઘરેણાંની આડી વાત ઉખેળે છે. તેથી, એણે તો સ્વરક્ષણ માટે આગોતરી જ કબૂલત કરી નાખવા આગળ ચલાવ્યું:

‘વાસ્તુવાળી વાત તો હવે જૂની થઈ. એ ટાણે અમે તમને દૂભવવામાં કાંઈ કચાશ નહોતી રાખી, પણ એ તો હવે ગઈ ગુજરી ગણાય. પણ અમે અભાગિયાંએ તો તમને ફ૨ી વા૨ દૂભવ્યાં—’

‘ફરી વાર?’

‘હા, બાલુના સગપણ ટાણે—’

‘બાલુના સગપણ ટાણે તો અમે હાથભીડમાં હતાં. એટલે મારા દકુભાઈએ એમને સારી પટ મદદ કરી’તી...’

૪૧૦
વેળા વેળાની છાંયડી