પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘સામૈયું કરવાનું જ માંડી વાળો!’

‘પણ... પણ... પછી ?’

‘પછી શું?’ પાદરમાંથી જ પાછાં વાળો!' મુનીમે કહ્યું, ‘એ ઉઠેલપાનિયાને પનારે તમારી છોકરી પડશે તો બિચારીને કૂવોઅવેડો જ પૂરવો પડશે.’

સાંભળીને કપૂરશેઠ કંપી રહ્યા હતા ત્યાં ફરી પેલો માણસ અંદર ધસી આવ્યો તેથી એમણે વડચકું જ ભર્યું: શું કામે પણ અહીં આવ્યા કરે છે?’

‘જરૂરી કામે આવ્યો છું—’

‘દકુભાઈને કહી દે કે—’

‘દકુભાઈની વાત નથી—’

‘તો બીજી કઈ વાત છે?’

‘એભલભાઈને ઘેરે ઈશ્વરિયાના આહીર આવ્યા છે, એ વાત કરે છે—’

‘શું વાત કરે છે?’

‘કે દકુભાઈના બાલુને તો કાલે રાતે સાંબેલે સાંબેલે સોરી નાખ્યો છે—’

‘જાણીએ છીએ અમે તારી મોરના—’ કહીને કપૂરશેઠે ફરી પેલા માણસને હાંકી કાઢ્યો પણ એમના મનમાં મુનીમે જે શંકા પેટવી હતી એને આ ઈશ્વરિયાના આહીરો તરફથી સમર્થન મળી રહ્યું.

દકુભાઈને સાથે લઈને કપૂરશેઠ પાદરમાં પહોંચ્યા અને કહ્યું: ‘વરાજાને શું કામે માફામાં પૂરી રાખ્યા છે?’

‘નજરાઈ ન જાય એટલા સારુ,'

‘અહીં અત્યારે કોઈ મૂઠબૂઠ નાખે એવી મેલી વિદ્યા જાણનાર માણસ નથી. તમતમારે એને બેધડક હેઠા ઉતારો—’

પછી વ૨૨ાજાને પ્રગટ કરવા કે ન કરવા એ અંગે બંને વેવાઈઓ

પ્રાયશ્ચિત્ત
૪૪૧