પૃષ્ઠ:Venina Ful.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


મારા કેમે નવ પંથ પૂરા થાય રે – સૂરજ૦
જેને શોધું તે દૂર સરી જાય રે – સૂરજ૦

૪. કેટલાંએક લોકગીતના ઢાળ ઘણાજ રૂચિકર અને મર્મગામી હોય છે. પણ ગીત પોતે પહેલેથી છેલ્લે સુધી ગ્રામ્ય સ્નેહનું કંઇક અસભ્ય ચિત્ર ઉભું કરે છે:

સોનાં ઇંઢોણી રૂપા બેડલું રે
નાગર ઉભા રો રંગ રસિયા
પાણીડાં ગઇ’તી તળાવ રે.... નાગર૦

* * *

તારો ઘડો તે ગોરી તો ચડે રે... નાગર૦
તું જો મારા ઘરડાની નાર રે...નાગર૦
ફટ્ય રે ભુંડા ને ફટ્ય પાપીયા રે...નાગર૦
તું છો મારો માડીજાયો વીર રે...નાગર૦

આજે આવી સંવનન-છબી પ્રતિ કંટાળો આવે. પણ ઢાળ તો ઉત્કૃષ્ટ ઢાળો માંહેલો એક છે. એ ઢાળમાં દૂર દૂરથી કોઇ 'ઉભા રો!' નો કરૂણ મધુર સાદ સંભળાય છે. એ તલે આપણે એવું અનુરૂપ ભાવવાળું કોઇ સ્નેહી યુગલ શોધીએ, કે જેમાં બાલ-માનસ પણ રસ લઇ શકે. એ યુગલ કોણ ! મોરલો ને વાદળી !

લીલા છે મોર કાળી વાદળી રે
એક વાર ઉભાં રો' રંગ વાદળી
વરસ્યા વિણા શાને વહ્યા જાવ રે - એક વાર૦

એમાં મોરલાનું ક્રંદન આવે, વાદળીના વિનવણાં આવે, વાદળી માનવ મુખાકૃતિ કલ્પતી નવયુગની ભાવના પણ