પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
૧૧
પ્રકાશકનું નિવેદન

પણ પ્રલોભનમાં ન ફસાતાં, વખત આવે કસોટીમાં પાર પડે છે, તો તેના ગુણગાન પ્રજામાં ગવાય છે, અને આદર્શરૂપ થઈ પડવા સાથે તેવું જીવન ગાળનારાં સુખી થાય છે. એટલા માટે એક પત્નીવ્રત અને સતીત્વનો મહિમા સંસારમાં આદર્શરૂપ બન્યા છે. અન્યથા વર્તનાર દુ:ખી થયેલો જણાય છે. એટલા માટે સતીચરિત્ર, પત્ની પ્રત્યેનો અચળ પ્રેમ વગેરે દૃષ્ટાંતરૂપ થઈ પડ્યા છે, અને એથી ઉલટું વ્યભિચાર કર્મ નિંદ્ય ગણાયું છે. વ્યભિચાર એ દોષ છે, તેથી ત્યાજ્ય છે અને સતીત્ત્વ તથા એક પત્નીવ્રત સર્વોત્તમ ગુણ છે માટે ગ્રાહ્ય છે અને તેથી મનુષ્ય જીંદગીમાં સુખી થાય છે માટે પ્રયત્ન કરી તે જ ગુણ આચરવો; પણ આ બંને ગુણો અને દોષ જાણવાની જરૂર છે. દીવા વગર અંધારાનો ખ્યાલ આવતો નથી અને અંધકાર વિના દીપકનો ખ્યાલ આવતો નથી. માટે સંસારમાં સાપેક્ષતાની જરૂર છે, અને ભગવાને તે પ્રમાણે સૃષ્ટિક્રમ ઘડ્યો છે.

વ્યભિચારથી દૂર રહેવા માટે પુરૂષે પોતાની ધાર્મિક રીતે પરણેલી એક અથવા અપવાદ તરીકે બે ત્રણ સ્ત્રી હોય તો તે સિવાય, દુનિયાની બધી સ્ત્રીઓમાં મા, દિકરી કે બહેનની ભાવના રાખી આચરણ કરવું, એ જ સુખી થવાને માર્ગ છે.

સ્ત્રી પુરૂષના સાંસારિક વહેવાર અને શારીરિક સંબંધના જ્ઞાન માટે આપણા સનાતન આર્ય ધર્મશાસ્ત્રકારે એ - વાત્સયાયનાદિ મુનિઓએ કામસૂત્રની અને ચરક ઋષિએ વૈઘક શાસ્ત્રની રચના કરી છે.

દુનિયાની દરેક ભાષામાંના સાહિત્યમાં સતીત્વ તથા એક પત્નીવ્રતના માહાત્મ્યને દર્શાવનારા દૃષ્ટાંતો મળે છે, તેમ વ્યભિચારથી દુ:ખી થયાના દાખલા પણ મળે છે. તેમાં વ્યભિચારની હમેશાં નિંદા થયેલી હોય છે જ્યારે સતીપણાની અને સારા પ્રેમની પ્રશંસા થયેલી હોય છે. પણ સાહિત્ય તો બંને પ્રકારનું હોય છે જ, કારણ કે નિંદ્ય વસ્તુની નિંદા કરવાનો હેતુ, સ્તુત્ય વસ્તુની સ્તુતિ કરવાનો જ હોય છે. જે ભોગ્ય