પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરસ્ત્રી માત સમાન
પરસ્ત્રીવિષયક કવિ શામળ ભટના છપ્પા

પરનારીશું પ્રીત, દેહમાં દુ:ખ ઘણેરૂં;
પરનારીશું પ્રીત, થાય અઘ અતિ અનેરૂં:
પરનારીશું પ્રીત, ખરે તનમાં ક્ષય રોગ;
પરનારીશું પ્રીત, ભાગ્યહીણાના ભોગ;


પરનારી સાથે પ્રીત છે, પડિયો પા૫પ્રસંગમાં;
કવિ શામળ ભટ સાચું કહે, ઉચાટ ઉપજે અંગમાં. ૧


પરનારીશું પ્રીત, તેને ભેાજન નવ ભાવે;
પરનારીશું પ્રીત, સુખ નિદ્રા નવ આવે;
પરનારીશું પ્રીત, હરી સેવા નવ સૂજે;
પરનારીશું પ્રીત, બુદ્ધિ સારી નવ બૂઝે;


એ પાપરુપ પરનાર છે, અપજશ ઉપજે આપના;
શામળ પ્રીત પરનારશું, બોળે બોંતેર બાપના. ૨


પરનારીશું પ્રીત, નવે ગ્રહ તેને રૂઠ્યા;
પરનારીશું પ્રીત, અગ્નિ વરસાદ જ વૂઠ્યા;
પરનારીશું પ્રીત, પનોતિ લોહને પાયે;
પરનારીશું પ્રીત, જરૂર ન સ્વર્ગે જાયે;


પરનારીકેરી પ્રીતથી, અગ્નિ અાંચ નિત્ય નિત્ય ખમે;
શામળ કહે સાચું માનજે, ગુણવંતાને નવ ગમે. ૩


અગ્નિ આગળ ધૃત, તરત ઉકળે તે તાપે;
માનનિ આગળ મરદ, રહે ક્યમ આપે આપે;
તસ્કર આગળ દ્રવ્ય, કહે દીઠું કયમં મૂકે;
તેતર બાજનિ પાસ, ચેટ કરતાં નવ ચૂકે;


લોભી આગળ લક્ષ્મી અને, જુવતિ પાસ નર જે હશે;
કવિ શામળ કહે સોબત મળે, જરર લાજ તેની જશે;