પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧
કામીવિષયક કવિ શામળભટના છપ્પા

છાનો ન રહે ચોર, રહે નહિ છાની ચાડી;
છાનું ન રહે પાપ, અકલ ફેલાવે આડી;
છાનો ન રહે મેહ, રહે નહિ છાની રહેણી,
ન રહે છાનું પ્રભાત, તથા કીરતી કે કહેણી;


છાની ન રહે વિદ્યા ભણી, સુગંધિ છાની નવ રહે;
ત્યમ પ્રીત છાનિ પરનારશું, છાનિ ન રહે શામળ કહે. ૧૮

કામીજનવિષયક કવિ શામળભટના છપ્પા

કામી ન જુએ કર્મ, કામિ જન ધર્મ ન ધારે;
કામીને શી શરમ, કામિજન મરે કે મારેઃ
કામી ન સૂજે કામ, શાસ્ત્રની વાત ન સૂજે;
કામી ન ભજે રામ, બુદ્ધિ એકે નવ બૂઝે;


કોટી અવગુણ કામીતણા, ધર્મ મારગે નવ ધસે;
અપજશ જે અવની ઉપરે, કામાતુરને તન વસે. ૧૯


કાં રાજા કાં રંક, કોણ નર કે કો નારી;
કામાતુરે કલંક, હોડ હિંમત જાય હારી;
પૃથ્વીમાં જે પાપ, રોગ ક્ષય આદિક દેહે;
ત્રિલોકમાં પરિતાપ, નકી પરનારી નેહે;


લાખો વીંછીની વેદના, દુખ દિવાનના દંડમાં;
શામળ કહે કોઈ રખે કરો, પ્રીત પરસ્ત્રી પંડમાં. ૨૦