પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
રતિનાથની રંગભૂમિ

વિષય આરંભમાં સુખકર લાગતો હોય છે, પણ પરિણામે દુઃખમય નીવડે છે, તે તામસ અને અધમ ગણાય છે, માટે વિવેક બુદ્ધિવાળાએ તેનો ખૂબ વિચાર કરીને ત્યાગ કરવો, અને જે ભોગ્ય વિષય આરંભમાં કદાચ દુ:ખમય લાગવા છતાં પરિણામે સુખમય નીવડતો હોય તો વિવેકી જને તેનું સદા સેવન કરી, અન્યને દૃષ્ટાંત બેસાડવો, એ કર્તવ્ય છે, કારણ કે જીવન ટુંકું હોવાથી, સામાન્ય માણસ તેવા નિર્ણય કરી શકતો ન હોવાથી, અનુભવી અને શાસ્ત્રજ્ઞ બુદ્ધિવાળાઓએ કથા, દાખલા, વાર્તા, કાવ્યો તેટલા માટે લખેલાં હોય છે, એનો ઉપયોગ પણ સમજીને કરવો જોઈએ.

રતિનાથની રંગભૂમિ અથવા ચપળા–ચરિત્ર-ચન્દ્રિકા નામની કથા સ્વ. નારાયણ વિસનજી ઠક્કરે - ઉપલા હેતુથી મરાઠી ભાષામાંથી અનુવાદિત કરેલી છે. તેનો હેતુ વ્યભિચાર ફેલાવવાનો નથી, પણ વ્યભિચારના દુ:ખમય રસ્તે અનિચ્છાએ પણ ઘસડાઈ જનારા નિર્બળ મનવાળાઓ કેવા દુ:ખી થાય છે, અને ભોળા માણસો કેમ ફસાય છે, તેનાથી દૂર રહી સન્માર્ગે ચાલ્યા કરવું, એ ઉપદેશ આપવાનો છે. એટલે આવી વાતોના પ્રકાશનથી સુજ્ઞ વાચકોએ ભડકવું ન જોઈએ. શું સાચું ને શું ખોટું, શું સારૂં ને શું નરસું – વગેરે શબ્દોના ગુણ દોષ જાણ્યા – સમજ્યા વિના નિર્ણય થઈ શકતો નથી. માટે આવાં સાહિત્યના પુસ્તકોની પણ જરૂરિયાતો મનાઈ છે, અને દરેક ભાષામાં આવા સાહિત્યના ગ્રંથો મળી આવે છે. સંસ્કૃત અને તેની પુત્રી રૂપ ગુજરાતી ભાષામાં તથા અન્ય ભાષામાં આવાં ઘણાં પુસ્તકો રચાયેલાં છે. ગુજરાતી ભાષામાં સ્ત્રી-ચરિત્ર અને શુકબોહતરીની કથા વગેરે ઘણા જાણીતાં છે. અંગ્રેજીમાં “ડેકા મેરેાન” (Deca maron) વગેરે ઘણા ગ્રંથો છે. અંગ્રેજી ન્યાયાલયોમાં છુટા છેડાના કજીઆ આવે છે અને તે છાપાઓમાં છપાય છે, તેના ઉપરથી નાટકો રચાઈને ભજવાય છે, સીનેમાઓ દેખાડાય છે; – એ સર્વમાં વ્યભિચાર-જનાકારી દોષ મુખ્ય હોય છે અને તેનાં વર્ણનો વર્તમાન પત્રોમાં ઘણાં આવે છે અને લોકોમાં તે