પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
રતિનાથની રંગભૂમિ

આપી લોકોને આડે માર્ગે દોરવે છે; કેટલાકે વિજાતિની સમાગમની બુભુક્ષાને નામે વ્યભિચાર અને સુંવાળા સહચાર અને વેશ્યાવૃત્તિનો બચાવ કરવા પ્રેરાયા છે; પણ આખરે જે વસ્તુ નિંદ્ય છે તે તો તેવી જ રહેવાની, તે સારા શબ્દોથી બચી શકતી નથી. આ વાર્તામાળાની વાર્તાએાનો હેતુ એવો છે, એ સુજ્ઞ વાંચક સમજી શકશે અને જૂની વ્યભિચારની કે સ્ત્રી ચરિત્રોની વાર્તાને ભિન્ન ગણશે.

બીજા બધા પશ્વાદિ પ્રાણીના શરીરના બંધારણોથી વિભિન્ન મનુષ્ય પ્રાણીમાં સ્ત્રીપુરૂષના શરીરનાં બંધારણો જ એવાં છે કે જો કોઈ એનો દુરૂપયેાગ કરે તો તેનો નાશ થાય છે. મનુષ્ય પ્રાણીમાં સ્ત્રી-પુરૂષના રજવીર્યની શુદ્ધતા રાખવા માટે ધર્મની શાસ્ત્રકારોએ બહુ જ કાળજી પૂર્વક લગ્નની ગ્રંથિની વિધિ–સંસ્કાર રચ્યાં છે. અને તે પછી પણ સંસાર- વહેવાર માટે પણ ઘણા સંયમ-નિયમો વ્રત, તપ, ત્યાગ, વૈરાગ્યાદિથી તેની વાડ બાંધી રક્ષા કરી છે. ક્ષેત્રની શુદ્ધિ તેમ જ બીજની શુદ્ધિ રાખવા માટે બ્રહ્મચર્યનું પાલન અને લગ્નનો સંસ્કાર અને ગૃહસ્થાશ્રમની વિમળતા ઉપર ભાર મુકાયો છે, તે સાથે સતીત્વને તથા શુદ્ધ પ્રેમનો અને એક પત્નીવ્રતનો મહિમા ગવાયો છે, અને વ્યભિચાર-સુંવાળા સહચાર, પરિણીત દંપતીનો પણ અતિ કામાતુર સહચાર વગેરેને નિંદ્ય ગણેલા છે. આખરે તો શુદ્ધ ગૃહસ્થ ધર્મનો અને નિર્મળ દાંપત્ય ધર્મનો જ વિજય છે એ દર્શાવવા માટે આ કથાઓ સ્વ. નારાયણે લખી છે. આ હેતુ ધ્યાનમાં રાખી આ વાર્તાઓ વાચવાની વિનતિ છે. ગૃહસ્થાશ્રમ એ ધર્માચરણની ખાણ છે.

હરગોવિંદ દેશાઈની વાડી,
નટવરલાલ ઇચ્છારામ દેશાઈ

વિ. સં. ૨૦૦૪ અક્ષયતૃતીયા

}
નટવરલાલ ઇચ્છારામ દેશાઈ