પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
વ્યાજનો વારસ
 

 આખી જમાતમાં બાળકનું નામ ‘છોટે મહંત’ પડી ગયું.

બાળબ્રહ્મચારી ભેરવરનાથને આ મીઠડી બોલી બોલતા બાળક પ્રત્યે અખૂટ વાત્સલ્ય ઊભરાઈ આવ્યું. તેમણે એને રાજી રાખવા માટે અછોઅછો વાનાં કરવા માંડ્યાં. પોતાના આસનની પડખોપડખ એક નાનકડા વ્યાઘ્રચર્મ ઉપર બાળકને આસન આપવામાં આવ્યું.

થોડા જ મહિનામાં બાળકની તેજસ્વી પ્રતિભાનો સહુને પરચો થવા લાગ્યો. અસલ અમીરી બૂંદનું એ ફરજંદ રજવાડી લાલનપાલનમાં અજબ ઝળકી ઊઠ્યું. એના વિશાળ કપાળ અને તાલકાના ઝબકારા પાસે જોતજોતામાં મહંતજી પણ ઝાંખા લાગવા માંડ્યા. સાધુગણને ખાતરી થઈ ચૂકી કે મહંતજી આ બાળકને પટ્ટશિષ્ય બનાવશે અને પોતાનો વારસો સોંપતા જશે.

*