પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૩૦]


કૂતરાં ભસ્યાં

દલુ અને ચંપાનાં લગન રંગેચંગે ઊકલી ગયાં.

અમરતે આત્માસંતોષ અનુભવ્યો. પોતાના દલુને કોઈ દીકરી નથી આપતું એ વાત ખોટી ઠરી. દલુ પણ હવે માણસની હારમાં આવી ગયો. ભાણેજ માટે મામા જે ભવિષ્યવાણી ભાખી ગયા હતા. ‘દિલયો તો વાંઢો ને વાંઢો મરી જશે.’ એ ખોટી ઠરી.

અમરતે ચુકાદો આપ્યો :

‘ભાઈ કરતાં તો આ ભોજાઈ સાત થોકે સારી; એ પારકી જણીને વાંઢા ભાણેજનું પેટમાં બળ્યું ને ધડ કરતીકને પોતાની બહેન આપી દીધી.’

દલુ અંગેનું અમરતનું કથન મહદ અંશે સાચું હતું. આજ દિવસ સુધી દલુ ઓધિયાની સંગતમાં રોઝડાની જેમ રખડતો તે હવે લગન પછી ખરેખર જરાતરા ‘માણસની હારમાં’ આવ્યો ખરો. લગ્નને દિવસે જિંદગીમાં પહેલી જ વાર, દલુને ધોતિયું પહેરવું પડેલું અને એમાં કાછડી ખોસવાથી માંડીને પાટલીની ચીપો વાળવામાં પણ ઓધિયા અણવરની સહાય લેવી પડેલી એ દલુ હવે આપમેળે જ ધોતિયું પહેરતાં શીખી ગયો હતો. અને લગનને ટાંકણે સીવડાવેલો જરકશી જામો પહેરીને જ્યારે પેઢીના મખુદે એ બેસતો ત્યારે તો ગામલોકોને પણ થતું કે આભાશાનો વારસ દલુ થાય તો એમાં કાંઈ ખોટું નથી.

બે–ચાર પરગજુ ગામલોકોએ તો અમરતને કાને આ વાત