પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભોરિંગેભોરિગના લબકારા
૨૪૩
 

 ‘એટલે ?’

‘એટલે એમ કે જે દિવસે એ વાત ત્રીજે કાને રેડાશે તે દિવસે આ દુનિયામાંથી તારાં અંજળ ખૂટી જશે. તારાં બાયડીછોકરાં અંતરિયાળ રઝળી પડશે.’

અમરતનો રોષ માતો નહોતો. જીવ ઉપર આવેલા ઝનૂની પશુની પેઠે એ બોલતી જતી હતી.

પણ ચતરભજ એમ કાંઈ ગાંજ્યો જાય એવો નહોતો. અમરત ભોરિંગ જેટલી ઝેરીલી હતી તો ચતરભજ પણ સામે ભોરિંગ જેટલો જ દંશી હતો. ભોરિંગેભોરિંગના લબકારામાં બેમાંથી કોઈ ખાટી જાય એમ નહોતું, ચતરભજે એ જ મક્કમ અવાજે કહ્યું :

‘મારાં અંજળ ખુટાડનાર આ દુનિયા ઉપર છે કોણ ?’

‘આ રહી, અમરત પોતે. તારા જેવા તો કૈંકને જીવતા ને જીવતા ભોંયમાં ભંડારી દઈશ.’

‘ઠાલા પડકા મારો માં. વહરાં લાગો છો વહારાં. માથે ચોટલાવાળીઓનાં ગજાં નથી, ગુંજાશ નથી.’

‘મને ચોટલાવાળી ગણીને તું, ભલો થઈને ભરમમાં રે’જે મા હોં ! મારું ગજું ને ગુંજાશ તારે જોવાં છે ?’

‘હા, હા. બતાવો તો ખરાં તમારું ગજું. જોઈએ તો ખરા તમારી ગુંજાશ; કોક દી સાચી ભીડ ટાણે અમનેય ખપમાં આવશો.’

ચતરભજે ચાનક ચઢાવી એટલે અમરત ઊભી થઈ અને પાછલે પગલે, પછીત પાસે પડેલી મજૂસ તરફ આગળ વધતી ગઈ.

ચતરભજ હજી બોલતો હતો :

‘તમારી તાકાત નથી…’

‘લે હમણાં જ તને તાકાત અને ગજું બેય દેખાડી દઉં, એટલે તને નિરાંતનિરાત થાય.’ મજૂસ તરફ જતાં જતાં પણ અમરત બોલતી જતી હતી, ‘નહિ બતાવું તો વળી તને ઓરતો રહી જાશે.’

આટલું કહીને અમરતે મજૂસના ચોરખાનામાંથી કાળાબોઝ