પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૬
વ્યાજનો વારસ
 

 સાંભળનારાઓને તીરકસ વીંધ્યે જતી અનેક ભજન–કડીઓમાંની એક સંભળાઈ :

વેલ્યેથી વછૂટ્યું રે સખિ ! એક પાંદડું...

રઘી મનમાં હોંકારો ભણે છે. હા, વેલ્યેથી જ વછૂટ્યું હતું. ધાવતા છોરુને માને થાનલેથી ઉતરડી લે એમ ઉત૨ડાઈ ગયું હતું.

ભજન–કડીની ટીપ પૂરી થાય છે :

ઈરે પાંદડું ભવે ભેળું નંઈ થાય...

બારીમાંથી ભફાકો સંભળાયો. ઝાડના પડછાયા તળે કોઈકે કૂદકો માર્યો હતો.

ગાયક ચમકી ઊઠ્યો. અને શું બન્યું છે એ જાણવાનો પ્રયત્ન કરે એ પહેલાં તો એક સ્ત્રી ઝડપભેર આવતીકને પોતાને વળગી પડી. અને ઉષ્માભર્યા આલિંગન સાથે ચૂમીઓનો જાણે કે વરસાદ વરસાવીને ગાયકને ગૂંગળાવી જ દીધો.

ખાટલે પડ્યા પડ્યા લાખિયારે સંતોષ સૂચક એક ખોંખારો ખાધો.

બાજુના ખંડની બારીમાં ઊભાં ઊભાં સુલેખાએ આ સઘળાં દૃશ્ય જોયાં.

બીજે દિવસે સવારમાં બાળનાથ કૌપીનભર આવીને કૂવે નાહવા બેઠો ત્યારે એના વાંસામાંનું નીલવર્ણ લાખું સુલેખાએ ધ્યાનપૂર્વક જોયું.

રઘી અને બાળનાથનાં સંબંધોની સાંકળ સુલેખાને સાંપડી ગઈ.

*