પૃષ્ઠ:Vyajno Varas.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
વ્યાજનો વારસ
 


‘બસ, તો જાઉં છું.’ આભાશાએ શીખ માગી.

‘જાવ, ને ફત્તે કરો.’ સામેથી શુભાશિષ મળી.

આભાશા વિદાય થયા પછી અમરત મનશું ગણગણતી હતી :

‘જીવણિયો એના નેમલાનું માગું લઈને લશ્કરી શેઠ પાસે પહોંચે એ પહેલાં જ રિખવના ચાંદલા કરી નાખો, એટલે નેમલો રિયે ૨ઝળતો.’

જીવણશા પોતાના પુત્ર – અને રિખવના સમોવડિયા – નેમીદાસનું વેવિશાળ સુલેખા જોડે કરવા આકાશપાતાળ એક કરતા હતા.

*