આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મથુરા શે'રની રાંગે સંન્યાસી ઉપગુપ્ત કો,
સંકોડી ઇન્દ્રિયો સર્વે એક રાત સૂતો હતો.
પવનમાં પુરદીપ ઠરેલ છે,
જન તણાં ગૃહદ્વાર બીડેલ છે;
ગગનના ભર શ્રાવણ-તારલા
ઘનઘટા મહીં ઘોર ડૂબેલ છે.
ઓચિંતી અંધકારે ત્યાં ગુંજી છે પગઝાંઝરી :
યોગીની છાતીએ પાટુ કોના પાદ તણી પડી ?
ચમકી પલક માંહે સંત જાગી ઊઠે છે,
સુખમય નિદરાના બંધ મીઠા તૂટે છે.
ઝબૂક ઝબૂક જ્યોતિ ગુપ્ત કો' દીપકેથી
કરુણ વિમલ નેત્રે સંત કેરે પડે છે.
નામે વાસવદત્તા કો’ પુરવારાંગના વડી
ચડેલી છે અભિસારે, માતેલી મદયૌવના.
અંગે ઝૂલે પવન-ઊડતી ઓઢણી આસમાની,
ઝીણી ઝીણી ઘૂઘરી ઝણકે દેહ-આભૂષણોની;
પ્યારા પાસે પળતી રમણી અંધકારે અજાણે
સાધુગાત્રે ચરણ અથડાતાં ઊભી સ્તબ્ધ છાની.
અભાગી કોણ સૂતું તે દેખવા દીવડો ધરે :
યોગીને અંગડે ગૌર નવેલી રોશની ઝરે.
તરુણ સૌમ્ય સુહાસવતી વયે
૮૭