બાપુનાં પારણાં/મૃત્યુ પ્રહરી બન્યું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
બાપુનાં પારણાં
મૃત્યુ પ્રહરી બન્યું
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૩
મૃત્યુનો મુજરો →



મૃત્યુ પ્રહરી બન્યું

મૃત્યુ પ્રહરી બન્યું


ઝૂલણાં

કોણ છે ? — મૃત્યુ છું : કેમ ટેલે અહીં ?
છે અહીં આજ મારું રખોપું.
સાંભળી મોતના બોલ માનવ હસ્યાં —
વાહવા ! ચોર પ્રહરી બન્યો શું !

મોતના હાથમાં કારમી રાતમાં ૫
ભાઈ દેખાય કુંપા અમીનાં;
એકવીસ રાત લગ એક મટકાં વિના
મોત બાળી રહ્યું દીપ ધીના.

જાગરણ ખેંચતા મોતને નેણલે
નેવલાં આંસુનાં જોઈ ચાલ્યાં; ૧૦
બોલકાં માનવી જોઈ વિસ્મય થયાં
પૂછતાં મોતને, કેમ રો 'લ્યા !

લાખ જીભે તમે લાદિયા માનવી!
મોહરે શિર બદનામી-બોજા,
વાંક મારે દઈ પારકે પાય જૈ ૧૫
 કરગર્યાં કેમ કંગાલ સોજાં !


'મરી જશે ! મરી જશે! મેલી દો બાપજી!'
બોલતાં જીભ શાને ન કરડી !
લોહીલોહાણ હૈયે રડી હું રહ્યું :
કાળ મલકી રહ્યો મૂછ મરડી. ૨૦


મારનારી તમારી હશે દીનતા-
નામ મારું નકામું દુણાશે.-
એ ભયે માનવી ! જાગું છું, પ્રાર્થું છું,
નાથ ! કયારે હવે પ્રાત થાશે ?