બીરબલ અને બાદશાહ/કીર્તિને કાળ ન ખાય
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
વારતા એકસો એકત્રીસમી
-૦:૦-
કીર્તિને કાળ ન ખાય
-૦:૦-
-૦-
← ભલાઈ કરતાં ભુંડાઇ કેમ થાય ? | બીરબલ અને બાદશાહ કીર્તિને કાળ ન ખાય પી. પી. કુન્તનપુરી |
કવીની કલ્પના → |
એક સમે તમામ દરબાર ભરાઇને બેઠી હતી, એટલામાં એક કવી દરબારમાં દાખલ થઇ આ પ્રમાણે બોલ્યો,
દોહરો
કહા ન અબલા કર શકે, કહા ન સીંધુ સમાય;
કહા ન પાવકમેં જળે, કહા કાળ નવ ખાય.
હવે આનો શો જવાબ આપવો તેના વીચારમાં તમામ દરબાર પડી ગઇ. આ જોઇ બીરબલે જવાબ આપ્યો કે,
સુત નહીં અબલા કર સકે, મન નહીં સીંધુ સમાય,
ધર્મ ન પાવકમેં જલે, કીર્ત કાળ નવ ખાય.
આ દોહરો સાંભળી શાહ દરબારીઓ આનંદ પામ્યા. તે કવી પણ ખુશી થયો. બાદશાહે બંનેને ઇનામ આપ્યા. ઘણો ખુશી થયો.