બીરબલ વિનોદ/ગધેડાનો નાચ

વિકિસ્રોતમાંથી
← નદીનાં લગ્ન બીરબલ વિનોદ
ગધેડાનો નાચ
બદ્રનિઝામી–રાહતી
‘મલ’ શબ્દનો અર્થ?  →


વાર્તા ૧૩૬.

ગધેડાનો નાચ.

એક પ્રસંગે બાદશાહ બપોરના સમયે મહેલના ઝરોખામાં બીરબલ સાથે વાર્તા વિનોદ ચલાવતો બેઠો હતો. એવામાં સ્હામે યમુના કિનારે ગધેડાને નાચતો જોયો, એટલે તેણે બીરબલને પૂછયું ” બીરબલ!:-

કિસ કારન યે નાચે ગધ્ધા?"'

બીરબલે તરતજ ઉત્તર આપ્યો કે: –

આગે નાથ ન પીછે પગહા,
ઇસ કારન યે નાચે ગધ્ધા.

બાદશાહ એ ઉત્તર સાંભળી ઘણો જ આનંદ પામ્યો.