મરી જાવું માયાને મેલી
મરી જાવું માયાને મેલી મીરાંબાઈ |
પદ ૨૯
મરી જાવું માયાને મેલી રે, મરી જાવું માયાને મેલી. ટેક૦
કોઈ તો બનાવે બાગબગીચાં, કોઈ બનાવે હવેલી રે. મ.
ધાઈ-ધૂતીને ધન ભેળું રે કીધું, પાંચ-પચીશની થેલી રે મ.
આરે કાયામાં સંતો કેશર ક્યારો, માંહીતો ઊગેલી વિષવેલી રે. મ.
બાઇ મીરાં કહે પ્રભુ ગીરધરના ગુણ, પાળ બાંધો ને પાણી પહેલી રે મ.
અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]
મરી જાવું માયાને મેલી રે,
મરી જાવું માયાને મેલી.
કોઈ બનાવે બાગબગીચા,
કોઈ બનાવે હવેલી,
ધાઈ-ધૂતી ધન ભેળું કરે કોઈ,
પાંચ-પચ્ચીસની થેલી રે ... મરી જાવું.
કેસરવર્ણી કાય સુંદર,
માંહી ઊગી વિષવેલી,
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
પાળ બાંધ પાણી પહેલી રે ... મરી જાવું.