સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૮. પત્નીની દૃઢતા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૭. ખોરાકના વધુ પ્રયોગો સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૨૮. પત્નીની દૃઢતા
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૯. ઘરમાં સત્યાગ્રહ →


૨૮. પત્નીની દૃઢતા

કસ્તૂરબાઈ ઉપર ત્રણ ઘાતો ગઈ, અને ત્રણેમાંથી તે કેવળ ઘરઘરૌ ઉપચારોથી બચી ગઈ. તેમાંનો પહેલો પ્રસંગ બન્યો ત્યારે સત્યાગ્રહનું યુદ્ધ ચાલી રહ્યું હતું. તેને વારંવાર રક્તસ્ત્રાવ (લોહીવા) થયાં કરતો. એક દાક્તર મિત્રે શસ્ત્રક્રિયા કરવાની ભલામણકરી અહ્તી. કેટલીક આનાકાની બાદ પત્નીએ શસ્ત્રક્રિયા કરાવવા હા પાડી. શરીર તો ઘણું ક્ષીણ થઈ ગયું હતું. દાક્તરે ક્લૉરોફૉર્મ વિના શસ્ત્રક્રિયા કરી. ક્રિયા વખતે દરદ ખૂબ થયું હતું, પણ જે ધીરજથી કસ્તૂરબાઈએ તે સહન કર્યું તેથી હું તો આશ્ચર્યચકિત થયો. ક્રિયા નિર્વિધ્ને પૂરી થઈ. દાક્તરે અને તેમનાં પત્નીએ કસ્તૂરબાઈની સરસ બરદાસ કરી.

આ બનાવ ડરબનમાં બન્યો હતો. બે કે ત્રણ દિવસ પછી મને નોશ્ચિતપણે જોહાનિસબર્ગ જવાની દાક્તરે રજા આપી. હું ગયો. થોડા જ દિવસમાં ખબર મળ્યા કે, કસ્તૂરબાઈનું શરીર મુદ્દલ વળતું નથી, ને તે પથારીએથે ઉઠીબેસી જશકતી નથી. એક વાર બેહોશ પણ થઈ ગઈ હતી. દાક્તર જાણતા હતા કે મને પૂછ્યા વિના કસ્તૂરબાઈને દારૂ અથવા માંસ દવામાં કે ખાવામાં ન અપાય. દાક્તરે મને જોહાનિસબર્ગ ટેલિફોન કર્યો : " તમરા પત્નીને હું માંસનો સેરવો સથેવા 'બીફ ટી' આપવાની જરૂર જોઉં છું. મને રજા મળાવી જોઈએ."

મેં જવાબ આપ્યો, 'મારાથી એ રજા નહીં અપાય. પણ કસ્તૂરબાઈ સ્વતંત્ર છે. તેને પૂછવા જેવી સ્થિતિ હોય તો પૂછો, ને તે લેવા માગે તો બેશક આપો.'

'દરદીને આવી બાબતો પૂછવાની હું ના પાડું છું. તમારે પોતે અહીં આવવાની જરૂર છે. જો મને ગમે તે ખવડાવવાની છૂટ ન આપો તો તમારી સ્ત્રીને સારુ હું જોખમદાર નથી.'

મેં તે જ દહાડે દરબનની ટ્રેન લીધી. ડરબન પહોંચ્યો. દાક્તરે સમાચાર આપ્યા, મેં તો સેરવો પાઈને તમને ટેલિફોન કર્યો હતો!'

'દાક્તર, આને હું દગો માનું છું,' મેં કહ્યું.

'દવા કરતી વખતે દગોબગો હું સમજતો નથી. અમે દાક્તરો આવે સમયે દરદી કે તેના સંબમ્ધીઓને છેતરવામાં પુણ્ય માનીએ છીએ. અમારો ધર્મ તો ગમે તેમ કરીને દરદીને બચાવવાનો છે!' દાક્તરે દ્રઢતાપૂર્વક જવાબ આપ્યો.

મને ખૂબ દુઃખ થયું. હું શાંત રહ્યો. દાક્તર મિત્ર હતા. ભલા હતા. તેમનો અને તેમનાં પત્નીનો મારા ઉપર ઉપકાર હતો. પણ ઉપલી વર્તણૂક સહન કરવા હું તૈયાર નહતો.

'દાક્તર, હવે ચોખવટા કરો. શું કરવા માંગો છો? મારી પત્નીનેહુંકદી તેની ઈચ્છા વિના માંસ દેવા નહીં દૌં. તે ન લેતાં તેનું મૃત્યુ થવાનું હોય તો તે સહન કરવા તૈયાર છું.'

દાક્તર બોલ્યા, તમારી ફિલસૂફી મારે ઘેર તો નહીં જ ચાલે. હું તમને કહું છું કે તમારી પત્નીને મારે ઘેર રહેવા દેશો ત્યાં લગી હું તેને જરૂર માંસ અથવા જે કાંઈ અપવું ઘટાશે તે આપીશ. જો મ ન કરવુમ્ હોય તો તમે તમારી પત્નીને લઈજાઓ. મારા જ ઘરમાં હાથે કરીને હું તેનું મરણ થવા નહીં દઉં'

'ત્યારે શું તમે એમ કહો છો કે મરે મારી પત્નીને હમણાં જ લઈ જવી?'

'હું ક્યાં કહું છું લઈ જાઓ? હું તો કહું છું કે મારા પર કશા પ્રકારનો અંકુશ ન મૂકો. તો અમે બન્ને તેની જેટલી થઈ શકે એટલી બરદાસ કરશું ને તમે સુખે જાઓ. જો આવી સીધી વાત તમે ન સમજી શકો તો મારે લાચારીથી અખેવુમ્ જોઈએ કે તમારી પત્નીને મારા ઘરમાંથી લઈ જાઓ.'

હું ધારું છું કે તે વેળા મરો એક દીકરો મારી સાથે હતો. તેને મેં પૂછ્યું. તેણે કહ્યું, 'તમે કહો છો એ મને કબૂલ છે. બાને માંસ તો ન જ અપાય.'

પછી હું કસ્તૂરબાઈ પાસે ગયો. તે બહુ અશક્ત હતી. ત્ને કંઈપણ પૂછવું મને દુઃખદેણ હતું. પણ ધર્મ સમજી મેં તેને ટૂંકામં ઉપરની વાત કહી સંભળાવી. તેણે દ્રઢતા પૂર્વક જવાબ આપ્યો: ' મારે માંસનો સેરવો નથી લેવો. મનખા દેહ વારે વારે નથી આવતો. ન્ભલે તમારા ખોળામાં હું મરી જાઉં, પણ મારાથી આ દેહ વટલાવાશે નહીં.'

મેં સમજાવાય તેટલું સમજાવ્યું ને કહ્યું, ' તું મારા વિચારોને અનુસરવા બંધાયેલી નથી.' અમારી જાણના કેટલાક હુંદુઓ દવાને અર્થે માંસ અને મદ્ય નથી લેતા તે પણ કહી સંભળાવ્યું. પણ તે એક ટળી બે ન થઈ અને બોલી : 'મને અહીંથી લઈ જાઓ.'

હું બહુ રાજી થયો. લઈ જતાં ગભરાટ થયો. પણ નિશ્ચય કરી લીધો. દાકતરને પત્નીનો નિશ્ચય સંભળાવ્યો. દાક્તર ગુસ્સે થઈ બોલ્યા:

'તમે તો ઘાતકી પતિ દેખાઓ છો. આવી માંદગીમંતેને બિચારીને આવી વાત કરતા તમને શરા પણ ન થઈ? હું તમને કહું છું કે તમારી સ્ત્રી અહીંથી લઈ જવા લાયક નથી. જરા પણ હડદેલો સહન કરે તેવું તેનું શરીર નથી. તેનો પ્રાણ રસ્તામં જ જાય તો મને આશ્ચર્ય નહીં થાય. છતાં તમે હઠથી નહીં જ માનો તો તમે તમારા મુખી છો. મારાથી તેને સેરવો ન અપાય તો મારા ઘરમાં એક રાત રાખવાનું પણ જોખમ હું નહીં લઉં'

ઝરમર ઝરમર મેહ વરસતો અહ્તો. સ્ટેશન દૂર હતું. ડરબનથી ફિનોક્સ રેલરસ્તો ને ફોનોક્સથી લગભગ અઢી માઈલનો પગરસ્તો હતો. જોખમ સારી પેઠે હતું. પણ ઈશ્વર સહાય થશે એમ મેં માની લીધું. મેં ફિનિક્સ એક માણસ આગળથી મોકલ્યો. ફિનિક્સ્માં અમારી પાસે'હૅમક' હતું 'હૅમક' તે જાળી વાળા કપડાની ઝોળી અથવા પારણું. તેના છેડા વાંસ ઉપર બંધાય એટલે દરદી તેમાં આરામથી ઝૂલતું રહી શકે. એ હૅમક, એક બાટલી ગરમ દૂધની એક બાટલી ગરમ પાણીની તથા છ માણસો લઈને ફિનિક્સ સ્ટેશન ઉપર આવવા વેસ્ટને કહેવડાવ્યું.

બીજી ટ્રેન ઉપડવાનો સમય થયો ત્યારે મેં રિક્ષા મંગાવી. ને તેમાં આ ભયંકર સ્થિતીમાં પત્નીને લઈ હું ચાલતો થયો.

પત્નીને મારે હિંમત આપવાપણું નહોતું. ઊમટું તેણે મને હિઁઅત આપીને કહ્યું, 'મને કંઈ નહીં થાય. તમે ચિંતા ન કરજો.'

આ હાડપિંજરમાં વજન તો રહ્યું જ નહોતું. ખોરાક કંઈ ખવાતો નહોતો. ટ્રેનના ડબ્બા સુધી સ્ટેશનના સ્ટેશનના વિશાળ પ્લૅટફૉર્મ ઉપર લાંબે સુધી ચાલીને જવાનું હતું. ત્યં રિક્ષા જઈ શકે તેમ નહોતું. હું તેને તેડીને ડબ્બા લગી લઈ ગયો. ફિનિક્સ તો પેલી ઝોળી આવેલી. તેમાં અમે આરામથી દરદીને લઈ ગયા. ત્યાં કેવળ પાણીના ઉપચારથી ધીમે ધીમે શરીર બંધાયું.

ફિનિક્સમાં પહોંચ્યા પછી બે ત્રણ દહાડામાં એક સ્વામી પધાર્યા. તેમણે અમારી 'હઠ'ની વાત સાંભલી દયા ખાધી ને અમને બન્નેને સમ્જાવા આવ્યા. મને યાદ છે તે પ્રમાણે, મણિલાલ અને રામદાસ પણ જ્યારે સ્વામી આવ્યા ત્યારે હાજર હતા. સ્વામીજી એ માંસાહારની નિર્દોષતા ઉપર વ્યાખ્યાન ચલાવ્યું. મનુસ્મૃતિના શ્લોકો ટાંક્યા. પત્નીના દેખતા આ સંવાદ ચલવ્યો એ મને ન ગમ્યું. પન વિનયને ખાતા મેં સંવાદ ચાલવા દીધો. મારે મંસાહરના ટેકામાં મનુસ્મૃતિનું પ્રમાણ નહોતું જોઈતું. તેના શ્લોકોની મને ખબર હતી. તેને ્રક્ષિપ્ત ગણનારો પક્ષ છે તેમ હું જાણતો હતો. પણ તે પ્રક્ષિપ્ત ન હોય તો પણ અન્નાહાર વિષેના માર વિચારો સ્વતંત્રપણે ઘડાઈ ચૂક્યા હતા. કસ્તૂરબાઈની શ્રદ્ધા કામ કરી રહી હતી. તે બિચારી શસ્ત્રના પ્રમાણ શું જાણે? તેને સારુ બાપદાદાની રૂઢિ ધર્મ હતો. બાળકોને બાપના ધર્મ ઉપર વિશ્વાસ હતો, તેથી તેઓ સ્વામી સાથે વિનોદ કરતા હતા. અંતે કસ્તૂરબાઈએ આ સંવાદ આમ કહી બંધ કર્યો:

'સ્વામીજી, તમે ગમે તેમ કહો પણ મારે માંસનો સેરવો ખાઈને સાજાં નથી થવું. હવે તમે મારું માથું ન દુખાવો તો તમારો પાડ. બાકી વાતો તમે છોકરાઓના બાપની સાથે પાછળથી અક્રવી હોય તો કરજો. મેં મારો નિશ્ચય તમને જણાવી દીધો.'