બીરબલ અને બાદશાહ/સવાલ જવાબ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← લક્ષમીપતી તે લાખેણો બીરબલ અને બાદશાહ
સવાલ જવાબ
પી. પી. કુન્તનપુરી
આ બેમાંથી ચોર કોણ ? →


વારતા છાઆશીમી
-૦:૦-
સવાલ જવાબ
-૦:૦-

એક સમે શાહ દરબાર ભરી બેઠો છે. તેવામાં શાહે બીરબલને નીચે મુજબ સવાલો પુછવા લાગ્યો.

શાહ - કયો દુશ્મન કોઈથી ન જીતાય ?

બીરલબ - મોત.

શાહ - કોનું ઓસડ નહીં?

બીરબલ - સ્વભાવનું.

શાહ - કયો માણસ સાલસ સમજવો ?

બીરલબ - જેની આંખમાં શરમ હોય તેને.

શાહ - કોણ બળવાન છે ?

બીરબલ - વખત બળવાન છે

શાહ - કેમ માણસ બળવાન નહીં વારૂ?

બીરલબ - સાંભળો ત્યારે.

અરજુને એક વખતે આખા ભરતખંડના રાજનો રાજા થયો હતો તે એક સમે દુવારકાથી ભગવાનની રાણીઓને લઈને હસ્તિનાપુર જતાં કાબાએ તે રાણીઓને લુટી લીધી. એ વખતે પણ એના એ ધનુષ બાણ હતાં પણ કાંઈ કામમાં આવીઆ નહીં, માટે સમો બળવાન છે.

શાહ - કળયુગ ક્યાં સમજવો ?

બીરબલ - જ્યાં કુસંપ હોય ત્યાં.

શાહ - કોણ આંધળો છે ?

બીરલબ - ઈશક

શાહ - લંપટ થવામાં શું દુઃખ?

બીરબલ - શરીરમાં વ્યાધિ વધે, અને ઈશવરનો ચોર થઈને નરકમાં જવું પડે.

શાહ - વગર પાદશાહીએ પાદશાહ કોણ ?

બીરલબ - બેતમાં વાળો.

બીરબલના આ હાજર જવાબો સાંભળી શાહ અને દરબાર આનંદમાં તલ્લીન બની ગઈ.

-૦-