રસિકવલ્લભ/પદ-૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પદ-૨૮ રસિકવલ્લભ
પદ-૨૯
દયારામ
પદ-૩૦ →


પદ ૨૮ મું

લહેરી, કુંડળ ને વળી કલશજી, જળ, કંચન, ભોમીથી દરશજી;
સમીર, સોની, કુલાલ, પાખેથી, ભેદ ન ઉપજે નિરખ્યો આંખેજી.
વણ ત્રય હેતુ કારજ ન હોયજી, શ્રુતિ સ્મૃતિ બોલે સહુ કોયજી;
ઉપાદાન ઘટ મૃતિકા લહિયેજી, નિમિત્ત કારણ કુલાલ કહિયેજી.

ઢાળ

કહિયે વળી સમવાયિ કારણ, વિવર ચક્ર ને દંડ;
એ ત્રણ કારણ થકી, સમજી લે રચ્યું બ્રહ્માંડ.

જો નિર્ગુણ નિરાકાર વણ, બિજું ન હોય જ કોય;
તો તૂંજ ક્હે, આ સૃષ્ટિ જ શી રીતે અભેદ હોય ?'
સુણી શિષ્ય બોલ્યો 'સાંભળો, મહારાજ ક્હો છો જ્યમ;
હું કદાપિ હા કહું પણ, એમ વાદી મને કયમ ?
તે એમ ક્હે છે સાંભળો, કોઈ કાચમંદિર માંહે;
જન ગયો એક અનેક રૂપે, થયો પોતે ત્યાંહે.
નિજ છાયા દર્પણે દેખી, માને અવર ઠામેઠામ;
ભૂલો પડે પ્રતિબિંબ નીરખી, આપણું જ અભિરામ.
ત્યાં દષ્ટાદષ્ય નથી અવર, સુષ્ટા ન સુષ્ટિ કોય;
દયાપ્રીતમ બ્રહ્મ તે એક, વાદી ક્હે સહુ હોય.