રસિકવલ્લભ/પદ-૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પદ-૫૦ રસિકવલ્લભ
પદ-૫૧
દયારામ
પદ-૫૨ →


પદ ૫૦ મું

કદિ વિમુખ હોય ગુણ ભંડારજી, તે સહુ ગુણને છે ધિક્કારજી;
કદિ હરિજન મહાદોષની ખાણજી, તદપિ વર સાધુ તે જાણજી.
બ્રાહ્મણ થઈ સાધે હરિ ભક્તિજી, તેહને તુલના જન જક્તજી;
સાચા બ્રાહ્મણ કહાવે તેહજી, કૃષ્ણ બ્રહ્મને જાણે જેહજી.

ઢાળ

જે બ્રહ્મ જાણે તે જ બ્રાહ્મણ, જન્મ સાચો શુદ્ધ;
સંસ્કારથી દ્વિજ વેદાભ્યાસે, વિપ્ર માને બુદ્ધ.
હરિ લહે તે શ્રુતિ ઊચિત બ્રાહ્મણ, બીજા કહેવા માત્ર;
જ્યમ પયપીયુષ કહેવાય પણ જીવે મૃતક નવ માત્ર.
એમ સુણી બોલ્યો શિષ્ય, બ્રાહ્મણ સર્વ સરખાં પાત્ર;
એ ઈશ્વર કેરાં રૂપ તે કયમ, કઠણ કરવા માત્ર ?
એમ સુણી શ્રીગુરુ ઉચ્ચર્યા, તુ સમજતો નથી બાળ;
સુણ્ય શંકર સ્વામી વજ્રસૂચિ ગ્રંથે કહ્યું તત્કાળ.
જો કહેશ બ્રાહ્મણ દેહ તો, સંભવ સંકટ જાગે;

સુત પ્રજાળે પિતૃ દેહ ક્યમ, નવ બ્રહ્મહત્યા લાગે ?
જો કહેશ આત્મા બ્રાહ્મણ છે, નહિ સંભવે નિરાધાર;
આત્મા દયા પ્રભુ વ્યાપક, બ્રાહ્મણ સહુ સંસાર.