રસિકવલ્લભ/પદ-૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પદ-૭૩ રસિકવલ્લભ
પદ-૭૪
દયારામ
પદ-૭૫ →


પદ ૭૩ મું

તેં કથા સાંભળી બહુ જનજી, પણ પરિક્ષિત સરખું નહિ મનજી;
માટે ન થતું ફળ તતખેવજી, વક્તા તેના તે શુકદેવજી.
તરે તુંબિકા આશ્રિત તારેજી, અનુભવ સહુને શાસ્ત્ર પોકારજી;
વણ મો ઉર હોય રહિત વિકારજી તરે, ન તારે લીલી લાગરજી.

ઢાળ

લીલી ન તારે તુંબી ત્યમ, ન ફલે સમલ જન સંગ;
ફરી તેનું તે જ કરે સુકાર્ય, વિકાર થાતાં ભંગ.

આર્દ્ર વસ્ત્ર અડે અવર, ભીંજવે તે પણ વાસ;
અડ્યું વસન સૂકું શુષ્કને, ત્યાં નહિ શીતાભાસ.
મલયાદ્રીદ્રુમ ચંદન સહુ, પણ નહિ એરંડ ન વંશ;
ઉર ગ્રંથીયો તે માટે ત્યમ, સત્સંગ ફલે ન નીસ્સંશ.
શતકલ્પનીરનિમગ્ન, ઉર પાષણ આગ ન જાય;
કદી અષ્ટ યામ ઉકાળિયે, કાંગણું ન કોમળ થાય.
જ્યમ ચિત્ર કેરાં ચંદ્રથી નવ શમે તન પરિતાપ;
ત્યમ ગગનશશિથી પણ ન ઉભળે ચિત્ર ઉદધિ આપ.

જીજ્ઞાસુ ઉપદેષ્ટા ઉભય હોય, ઉચિત ટળે ભવ રોગ;
જન દયાપ્રીતમ કૃષ્ણકરુણા, તવ મળે એ યોગ.