ઓખાહરણ/કડવું-૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કડવું-૯૨ ઓખાહરણ
કડવું-૯૩
પ્રેમાનંદ


કડવું ૯૩મું
કથા સમાપ્તિ વેળા જય જય શ્રી રણછોડ બોલો
રાગ : ધનાશ્રી

રીતભાત પરિપૂરણ કરી, ઊઠ્યા કૃષ્ણ તનજી;
નવું રે મંદિર વસાવીને ત્યાં, આપ્યું રે ભુવનજી.

એકવાર શ્રીકૃષ્ણે ઓખાને, ખોળા માંહે બેસારીજી;
માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુઅર અમારીજી.

મારા-બાપને એક દીકરો, તમો આપો રે ભગવાનજી;
ભગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર નામજી.

બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી;
કહી કથા ને સંદેહ ભાંગ્યો; પરીક્ષિત લાગ્યો પાયજી.

શુકજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી;
આરાધું ઈષ્ટ ગુરૂદેવને, ગણપતિને લાગું પાયજી.

શ્રોતા-વક્તા સમજતાં, કહે કવિ કરજોડજી;
ભાવ ધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી.


ઈતિશ્રી ભાગવત મહાપુરાણે દશમસ્કંધે શ્રીશુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ.