કલાપીને સંબોધન

વિકિસ્રોતમાંથી
કલાપીને સંબોધન
મણિશંકર રત્નજી ભટ્ટ-'કાન્ત'
(ઢાળ : ઓધવજી સન્દેશો કહેજો શ્યામને)



કલાપીને સંબોધન

સુરતાની વાડીના મીઠા મોરલા!
ઉછળતા શા ઉરસાગર ઉલ્લાસ જો!
નિર્ઝરતી સૌભાગ્ય સુહાગન જ્યોત્સ્નિકા;
નયને ઝળકે નમણું નિર્મલ હાસ જો!

આજે ને અજવાળે આમ્ખલડી, સખિ !
અંતર ઉપર ઉઘડે આલમનૂર જો!
હેત હૈયાનાં વહતી વાજે વાંસળી,
ઉડે સ્વર આકાશે અંદર દૂર જો.

નંદનવના પ્રાસાદોની ટોચથી
માધુરી કેકા આજે શી ઉભરાય જો!
સુરભીઓ સાથે સંસારે સરી !
અંતદ્વારે ગીરા શી અથડાય જો!

“तत्सवितानुं भर्ग वरेण्यं धीमहि”
ગાયત્રીનો જૂજો ભેદક મંત્ર જો !
આજે અન્ય પ્રકારે આ માથું નમે,
નમતો સાથે આત્માનો એ તંત્ર જો !