ઘેલાં અમે ભલે થયાં રે

વિકિસ્રોતમાંથી
ઘેલાં અમે ભલે થયાં રે
મીરાંબાઈ


પદ ૩૯.

ઘેલાં અમે ભલે થયાં રે, બાઈ મારે ઘેલામાં ગુણ લાધ્યો.—ટેક.
આટલા દિવસ હરિ જાણ્યા વિનાનું, મન માયામાં બાંધ્યું,
ભવસાગરમાં ભૂલાં પડ્યાં ત્યારે, મારગ મળિયા સાધુ— ઘેલા.
ઘેલાં તો અમે હરિનાં ઘેલાં, નિર્ગુણ કીધાં નાથે,
પૂર્વજન્મની પ્રીત હતી, ત્યારે હરિએ ઝાલ્યાં હાથે— ઘેલાં.
ઘેલાંની વાતો ઘેલાં જ જાણે, ને દુનિયા શું જાણે વળી ?
જે રસ તો દેવતાને દુર્લભ, તે રસ ઘેલાં માણે જરી— ઘેલાં.
ઘેલાં મટી અમે ડાહ્યા ન થઈએ, ને સંતના શરણાં લીધાં,
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, કારજ સઘળાં સીધ્યાં— ઘેલાં.





અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]

ઘેલાં અમે ભલે થયાં રે, બાઈ મારે ઘેલામાં ગુણ લાધ્યો.


આટલા દિવસ હરિ જાણ્યા વિનાનું, મન માયામાં બાંધ્યું,
ભવસાગરમાં ભૂલાં પડ્યાં ત્યારે, મારગ મળિયા સાધુ ... ઘેલા.


ઘેલાં તો અમે હરિનાં ઘેલાં, નિર્ગુણ કીધાં નાથે,
પૂર્વજન્મની પ્રીત હતી, ત્યારે હરિએ ઝાલ્યાં હાથે ... ઘેલાં.


ઘેલાંની વાતો ઘેલાં જ જાણે, ને દુનિયા શું જાણે વળી ?
જે રસ તો દેવતાને દુર્લભ, તે રસ ઘેલાં માણે જરી ... ઘેલાં.


ઘેલાં મટી અમે ડાહ્યા ન થઈએ, ને સંતના શરણાં લીધાં,
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, કારજ સઘળાં સીધ્યાં ... ઘેલાં.