નિત્ય મનન/૨૩-૧૦-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૨૨-૧૦-’૪૪ નિત્ય મનન
૨૩-૧૦-’૪૪
ગાંધીજી
૨૪-૧૦-’૪૪ →


मेरे पास बैठने में कोई हानि नहीं है, लेकिन ऐसे वक़्त पर, जैसे महादेव करता था और कृपालानी, तकली चलाना । पीछे ईश्वरके समयकी चोरी नहीं होगी । तकली हमारा मूक मित्र है । कुछ आवाज़ ही नहीं करती, और जगतके लिए जो धागा चाहिये उसे निकालती रहती है । तकली चलाते समय हम सब कुछ देख सकते हैं और सुन सकते हैं । मैं तो यहाँ तक जाता हूँ कि ईश्वर-कृपा होगी तो इस तरह कर्ममें जुते हुए रहनेसे कान भी खुल जाय । लेकिन जब इस तरह कर्मयोगी बनोगे, तब कानकी परवाह थोड़ी रहेगी । वानर-गुरु तो जान-बूझ कर कान बंद करता है, क्योंकि आसपासकी आवाज़ उसके रास्तेमें रुकावट डालती है |

२३-१०-’४४
 

મારી પાસે બેસવામાં કશું નુકસાન નથી. પરંતુ તેવે વખતે મહાદેવ અને કૃપાલાની કરતા તેમ તારે તકલી ચલાવવી. પછી તારે હાથે ઈશ્વરના સમયની ચેારી નહીં થાય. તકલી આપણો મૂગો મિત્ર છે. તે કશો અવાજ નથી કરતી અને દુનિયા માટે જે તારની જરૂર છે તે કાઢે છે. તકલી ચલાવતાં ચલાવતાં આપણે બધું જોઈ ને સાંભળી શકીએ છીએ. હું તો એટલે સુધી કહું કે ઈશ્વરની મહેરબાની હશે તો આ રીતે કામમાં કાયમ જોડાયેલા રહેવાથી કાન પણ ખૂલી જાય. પરંતુ આ રીતે તું કર્મયોગી બને તો તને કાનની ઝાઝી પરવાયે નહીં રહે. પેલો વાનરગુરુ તો જાણી બૂજીને પોતાના કાન ઢાંકી દે છે કેમ કે આજુબાજુથી આવતા અવાજ તેના માર્ગમાં અંતરાય નાખે છે.

૨૩-૧૦-’૪૪