આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯
રાજવિદ્યારાજગુહ્યયોગ
આમાં ભક્તિનો મહિમા ગાયો છે. ૨૭
श्रीभगवान बोल्याः:
અદેખાઈ કરનારો દોષદર્શી તું નથી તેથી તેને હું ગુહ્યમાં ગુહ્ય અનુભવવાળું જ્ઞાન આપીશ, જે જાણીને તું અકલ્યાણમાંથી બચશે. ૧.
વિદ્યાઓમાં આ રાજા છે; ગૂઢ વસ્તુઓમાં પણ શ્રેષ્ઠ છે. આ વિદ્યા પવિત્ર છે, ઉત્તમ છે, પ્રત્યક્ષ અનુભવમાં આવે તેવી અને ધર્માનુકૂલ છે. તેમ જ આચારમાં મૂકવામાં સહેલી અને અવિનાશી છે. ૨.
હે પરતંપ ! આ ધર્મને વિશે જેને શ્રદ્ધા નથી એવા લોકો મને ન પામતાં મૃત્યુમય સંસારમાર્ગમાં ફરી ફરીને અથડાય છે. ૩.
૯૩