આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩
ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગ યોગ
આ અધ્યાયમાં શરીર અને શરીરી(આત્મા)નો ભેદ બતાવ્યો છે.
श्रीभगवान बोल्याः
હે કૌંતેય! આ શરીર તે ક્ષેત્ર કહેવાય છે, અને જે જાણે છે તેને તત્ત્વજ્ઞાનીઓ ક્ષેત્રજ્ઞ કહે છે. ૧.
અને વળી હે ભારત! બધાં ક્ષેત્રો-શરીરો-ને વિષે રહેલા મને ક્ષેત્રજ્ઞ જાણ. ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞના ભેદનું જ્ઞાન તે જ્ઞાન છે એમ મારો અભિપ્રાય છે. ૨.
એ ક્ષેત્ર શું છે, કેવું છે, કેવા વિકારવાળું છે, ક્યાંથી છે, અને ક્ષેત્રજ્ઞ કોણ, તેની શક્તિ શી છે, એ મારી પાસેથી ટૂંકામાં સાંભળ. ૩.
૧૨૮