આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બધી કામનાઓને છોડી જે પુરુષ ઇચ્છા, મમતા અને અહંકારરહિત થઈ વિચરે છે તે જ શાંતિ પામે છે. ૭૧.
હે પાર્થ ! ઈશ્વરને ઓળખનારની સ્થિતિ આવી વર્તે છે. તે પામ્યા પછી તે મોહને વશ નથી થતો, અને મરણકાળે પણ આવી જ સ્થિતિ નભે એટલે તે બ્રહ્મનિર્વાણ પામે છે. ૭૨.
જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'સાંખ્ય-યોગ' નામનો બીજો અધ્યાય અત્રે પૂરો થાય છે.
૨૭