આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
બાપુનાં
કરી સિંગાર ચતર અલબેલી
ન્હા લૈ, ધો લૈ, સીસ ગૂંથેલી, ૧૦
વરધેલીએ સાજન-ઘર શોધી લિયું રે
નિધન નાચિયું રે-એના૦
ઓ જો બેઠો સાજન તોરો,
જગ-કાળપનો હાથ કટોરો,
પીને બનતો ગોરો જો તારે પિયુ રે
નિધન નાચિયું રે-એના૦
ઘન અંધારે અવધૂં જાગે ૧૫
જીવનના મીઠા અનુરાગે,
મૃત્યુ મુજરો માગી ચરણે ઝૂકિયું રે
નિધન નાચિયું રે-એના૦
પાયે ઘૂઘરડાં પે'રીને મૃત્યુ નાચિયું રે
નિધન નાચિયું રે-એના૦