લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


૪) આંક નંગ ૨
૨) લોઢું
૩ાા નાડી, નામણ, જોતર
૪ાા
―――
દિવેલ મણ ૦ાા
૨૪)
૧૧૦ાાા ૭. બળદ, ગાલ્લી, દૂબળો, હળ, લાકડાં, વગેરેનો
ઘસાચારો તથા વ્યાજ
૪૦) બળદજોડનો ઘસારો, એક જોડ ૭ વરસ કામ આપે તે
હિસાબે
૧૩ાા રૂા. ૩૦૦)નું કાપતું વ્યાજ
૧૦) ગાલ્લી રૂા. ૧પ૦)ની ૧૫ વરસ ચાલે
૬ાાા રૂા. ૧૫૦)નું કાપતું વ્યાજ
૧૭) ઓજારોનો ધસારો
૪ાા રૂા. ૧૦૦)નું કાપતું વ્યાજ
૧૦) દુબળાનો ઘસારો રૂા. ૨૦૦)ની કિંમતનો ૨૦ વરસ કામ
આપે
૯)
――――
રૂા. ૨૦૦)નું કાપતું વ્યાજ
૧૧૦ાાા
――――
૭૮૧ાાા

આ આંકડા, હું પહેલા પ્રકરણમાં બતાવી ગયો તેમ, પ્રથમ તો સાહેબને ખોટા પાડવાની ઈચ્છા થઈ અને તે ગરીબ ખેડૂતોની ઊલટતપાસથી ખોટા પાડવા એમ ધાર્યું, અને તે હેતુથી સરભોણ અને વડોલી ગામમાં તેમણે ખૂબ – ઊલટતપાસ કરી. સરભોણના જે અનાવલા ખેડૂતની ઊલટતપાસ કરી તે તો સાહેબોએ રિપોર્ટમાં પણ ઉતારી છે અને તેની ઉપર ટીકા કરી છે એટલે તે અહીં આપવી આવશ્યક છે. વડોલીમાં તો એક દૂબળાને તપાસવામાં આવ્યો હતો — એટલા હેતુથી કે દૂબળાની ઉપર જે ખર્ચ બતાવવામાં આવે છે તે બરોબર છે કે નહિ. એ ઊલટતપાસ દૂબળા જેવી અભણ, અજ્ઞાન તથા ગરીબડી પ્રજામાં પણ સત્યાગ્રહથી કેટલું તેજ આવ્યું હતું તે

૩૧૬