મૂર્ખનો સરદાર બની પરવચનમાં સપડાયો છે. આ બધા
દરબારીયોને કારણે જ હું આ સ્થિતિએ પહોંચ્યો છું. એમનાજ
આ બધાં કારસ્તાન છે.” એટલું કહી તેણે બધી
હકીકત બાદશાહને કહી સંભળાવી. કવિનું વર્ણન અને તે
પણ વળી તેને માથે મોત ઝઝુમતું હોય ત્યારે તેમાંથી
બચવા કેવા પ્રકારનું હોય એ વાંચકો ઠીક વિચારી શકે
એમ છે. ગંગે એ બીના એટલી બધી ચાતુર્યતાથી વર્ણવી
બતાવી કે બાદશાહ પેટ પકડી હસવા લાગ્યો. તેણે ગંગને
માફી બક્ષી કહ્યું “ કવિરાજ! પારકાના વચનમાં એકદમ
શ્રદ્ધા આણવી તેનું પરિણામ આવુંજ હોય, માટે હવેથી
પારકાના મનનો પૂરેપૂરો ભાવ જાણી લઈ આસપાસની
બીજી બીનાઓ ઉપર સંપૂર્ણ ધ્યાન આપ્યા પછી જ કોઈ
પણ કાર્ય માથે લેવું.”
એ પછી બાદશાહે દરબારીયો તરફ વળી કહ્યું “શું, તમે બધાએ આ બીચારા વૃદ્ધ કવિને સ્વધામ પહોંચાડવાનો મનસૂબો કર્યો હતો? તમે ગોઠવણ સારી કરી હતી પણ બીચારાને ઉગારવાનો કોઈએ ઉપાય ન યોજ્યો એ શરમ ભરેલું કહેવાય.”
સૌ કોઈ ચુપ હતા, કોઈની પણ બાદશાહ સ્હામે બોલવાની હીંમત ન ચાલી, પરંતુ તે દિવસથી બાદશાહે દરબારમાં આવવાનું કદિ પણ મુકયું નહીં અને રાણી પોતાની આશા ઉપર પાણી ફરી વળેલું જોઈ બહુજ પસ્તાવો કરવા લાગી.