એક દીવસે એક બેગમ સવારના પહોરમાં ઉઠી મુખ ધોતી હતી તે વખતે કપાલ ઉપર ચોડેલો રત્નજડીત ચાંદલો તેના હાથમાં આવી પડ્યો. બેગમાં સાહેબ પોતાના કપાળમાં ચાંદલો ચોડેલો છે એવી વાત ભુલી ગઈ હતી તેથી મોઢું ધોતાં તે પાણીમાં પડ્યો . આ ચાંદલામાં હાથીનું ચીત્ર હતું. તેથી જાણે હથેલીમાં હાથી ડુબ્યો ન હોય ? એવો ભાસ થતો હતો. આ વાત બેગમે શાહને કહી. થોડીવાર પછી ગંગ વગેરે ત્યાં આવ્યા તેમને શાહે પુછ્યું કે, હથેલીમાં હાથી કેમ ડુબ્યો !
ગંગે કહ્યું કે, સરકાર ! એમાં તો કાંઇક રસાલંકાર જણાય છે. સાંભળો :-
સવૈયા
સોલ સિંગાર સજી અતિ સુંદર, રેન રમી સો પિયા સંગ રાની,
ઉઠ પ્રભાત કલામુખ ધોવત, ટીકી ખસીં હથેલી લીપટાની.
તામે ચિત્ર હતો ગુજરાજ, અજીવક બુબક કાહુ પીછાની,
કવિ ગંગ કહે સુન શાહ અકબર, ડુબત હાથી હથેરીકે પાની.
ગંગનું બોલવું સાંભળી આનંદ પામી શાહે કહ્યું કે 'બારોટજી ! કાંઈક બીજું સંભળાવો
ગંગે કહ્યું કે, 'જેવો માલેકનો હુકમ!'
સવૈયા
જ્ઞાન ઘટે કોઈ મુંઢકી સંગત, ધ્યાન ઘટે બીન ધીરજ લાએ
પ્રીત ઘટે કોઈ મુંગેકે આગે, ભાવ ઘટે નિતહિ નિત જાએ.
શોમ ઘટે કોઈ સાધુકી સંગત, રોગ ઘટે કુછ ઓખડ ખાએ.
કવિ ગંગ કહે સુન શાહ અકબર, દારીદ્ર કટે હરિ ગુણ ગાએ.
આ વાણી સાંભળતા જ શાહ બહુ ખુશી થઈ ગંગને શાબાશી આપી.
બીરબલ આ લાગ જોઈ વધારે વાણી વિનોદ કરાવવાના વીચારથી કહ્યું કે, હજુર ! ગંગ બારોટ તે કાંઇ જેવા તેવા છે ! બારોટમાં શિરોમણી છે.'