આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અનુમાન કીધું કે, તેઓ ઉંટના માલેક હોવા જોઇએ, મને જંગલમાં ફરતાં આવી સેંકડો ચીજો નજરે જણાય છે. આ શહેરનું દરેક જણ મને ઓળખે છે.'
ન્યાયાધીશને ફકીરના બોલવાની ખાત્રી થવાથી તેણે તેને છોડી દેવાનો હુકમ આપી વેપારીઓને કાઢી મુક્યા.
ઉપલી વાત કરી રહ્યા પછી બીરબલે કહ્યું કે, 'સરકાર ! મને ચાલતા અવલોકન કરવા લાયક સેંકડો ચીજો મળે છે.'
બીરબલની આ વાત સાંભળી શાહ ઘણો આનંદ પામ્યો અને ત્યાંથી ઉઠીને બંને જણ મહેલ તરફ વળ્યા.