પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
 

નળાખ્યાન.


કડવું ૧ લું – રાગ:કેદારો.

શંભુસુતનું ધ્યાન જ ધરું, સરસ્વતીને પ્રણામ જ કરું;
આદરું, રુડો નૈષધનાથ રે.

ઢાળ

નૈષધનાથની કહું કથા, પુણ્ય શ્લોક જે રાય;
વૈશંપાયન વાણી વદે, અર્ણિક પર્વ મહિમાય.
રાજ્ય હારી ગયા પાંડવ, વસ્યા દ્વત વનમોજાર;
એકલો અર્જુન ગયો કૈલાસે, આરાધ્યા ત્રિપુરાર.
પશુપતાકાસ્ત્ર પશુપતિયે આપ્યું, પછે ગયો સ્વર્ગમાંહે;
કાલકેતુ પુલોમા માર્યો, પંચ વર્ષ રહ્યો તાંહે.
યુધિષ્ઠિરરાય અતિ દુઃખ પામ્યા, ઉપન્યો ઉદ્વેગ;
પુનરપિ પારથ નહીં આવ્યો, ભાઇએ કીધો તાંહા નવો નેગ.
એવે સમે એક તાપસ આવ્યો, બૃહદશ્વ અવું નામ;
પૂજા કીધી પાંડવે, આપ્યો વાસવાનો ઠામ.
ચાતુરા માસ તાંહા રહ્યા, કુંતીસુત કરે સેવાય;
રાત રાતના વારા ફરથી, પાંડવ ચાંપે પાય.
એક વાર યુધિષ્ઠિર બેઠા, તળાંસવાને ચર્ણ;
તે સમે અર્જુન સાંભર્યો, ભરાયું અંતસ્કર્ણ.
ધર્મરાયને ઋષિજી પૂછે, જળે ભીના પગ માહરા;
શે દુઃખે સતવાદી રાજા, નેત્રે ભરે જળધારા.
ધર્મ કહે સાંભળીએ સ્વામી, ઉઠી ગયો અર્જુન;
અવળા સવળા સાલે સવ્યસાચી, માટે કરું છૌ રુદન.
ભીમસેનનીપાસે જો હું, માંગુ દાતણ પાણી;
બડબડતો જાએ રીસાવી, લાવે વૃક્ષ મોહોટું તાણી.
પ્રાતઃ સામગ્રી નકુળ પાસે, કદાપિ જો મેં માંગી;