પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
પ્રેમાનંદ

માધવી વળતું વદે બાઈ, શા માટે નાહાસી ગયાં;
મેં કો ન દીઠું તમે દેખી, આવડું શું વિસ્મય થયાં.
ઘેલી તાહારી મીટ મસ્તકમાં, મેં દર્પણ રાખ્યું દૃષ્ટિમાં;
સ્વરૂપ દીઠું દિવ્ય નળનું, ન મળે બીજો સૃષ્ટિમાં.
વેશ છે વેરાગીનો જાણે, નાટક કોએક લાવ્યો;
શકે તો એ પ્રાણજીવન, નળરાય નિશ્ચય આવ્યો.
સાહેલી કહે પ્રીછો તમો, કાં દીઠું છે જે ઝંખના;
નળ આવીને કેમ શકે જ્યાં, ના આવે પ્રાણી પંખના.
કામની કહે તે પ્રીછીયું, તું દાસી માણસનો અવતાર;
ન માને તો આવ કૌતક, દેખાડું બીજીવાર.
પુનરપિ બેઠાં પૂઠે પૂઠે, દર્પણમાં મીટ જોડ;
સ્વરૂપ નળનું દેખાડ્યું, જેની કાંતિ કંદર્પ ક્રોડ.
દાસી રાણી થયાં બેઠા, ઝબકારે ઝબકી વિજળી;
દમયંતી કહે દાસીને કાં, માહારી વાત કહેવી મળી.
પછે સ્તુતિ માંડી શ્યામાએ, અંતરપટ આડો ધરી;
દેવસ્વરૂપ થાઓ દેખતા, ત્યારે નળે દેહ પ્રગટ કરી.
આપી આસન કરી પૂજન, પછે પૂછે કિંકરી;
કહો દેવપુરુષ કાંહાંથી આવ્યા, વેશ જોગીનો ધરી.
નળ કહે તું નીચ માણસ, કેમ વદું હું વૈખરી;
દમયંતી પૂછે તો બોલું, નહીંતર પાછો જાઉં ફરી.
દમયંતી કહે દેવજદ્યપી, પણ થઈ આવ્યા સંન્યાસી;
કપટ રૂપને કન્યા કેમ પૂછે, માટે પૂછે દાસી.

વલણ

દાસી સંન્યાસી જોગ છે, કેવળ નોહે અતીતરે;
વચન સુણીને નળ મન હરખ્યો, હરી લીધું ચિત્તરે.

કડવું ૨૧ – રાગ:મારુ.

મન મોહ પામ્યો મહિપતી, ધન્ય દેવ જે વાશે સતી;
ભોગી ભૂપને ભામિનિ ભોગ્ય, ઘટે દેવને અમો અયોગ્ય.
નારિ પ્રત્યે નળ એમ કહે છે, જો તું જોગીરૂપને લહે છે;
અમો ન જાઉં વિષયાની વાટે, અહિયાં આવ્યો હું સાધવી માટે.