પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
શૃંગાર

હું રે સન્મુખ હુઈ, રીસ મનની ગઈ, ઉભી રહી ચકિત ગતિ પ્રેમ નિરખુ;
પ્રભુયને રસભરી, સુખદાજ શર્વરી, નાર સૌભાગ્યતા જોઈરે હરખું.
ચોકતણા ચાર, ચરણશું મુક્તિ ધરી, પ્રભુને પધરાવિયા પલંગ પીઠે;
ભોગ સંજોગથી, અધિક સુખ ભોગવ્યું, એરે મુરત એણીપેર દીઠે.
ભણે નરસિંહયો નિત નેહ તે નવનવા, જાહારે ગોવિંદ ગુણની સમાધી;
શું જાણે બ્રહ્મા સુર સ્નેહની વારતા, ભર્યા અધિકારની આધિવ્યાધિ.

પદ ૭ મું

પલંગ પાયે તને કુસુમમાળાવડે, બેહુ કર બાંધ્યો લાજ લોપી;
માહરે મંદિરથકિ કોણ મૂકાવશે, શું કરશે સહુ શોક્ય કોપી.
તું વનમાળી કાહાવે, હું કુસુમ વનવેલડી, નીર નિત સીંચતો કાં અરોપી;
ભ્રમર જાએ ફુલ, ફુલ મકરંદ વશ, કમળમાં હેત ન રહ્યોરે રોપી.
પ્રીતનો કરનાર પ્રેમના પાત્રશું, તન મન પ્રાણ ત્યાં મેલે સોંપી;
ભણે નરસઈઓ જેમ રીસ ઊતરે, ત્યમ તું શિખ શાણી દે રે ગોપી.

પદ ૮ મું

સાંભળો કામની કૃષ્ણ કાયર કહે, તાહરા મંદિરથકો નહીરે જાઉં;
અવર કો નાર નહીં તૂજ સારખી, જેહને ફૂલ કરી હું બંધાઉં.
તું વનવેલડી, હું વનમાળી, સીંચવે સમર્થ દ્રષ્ટિ કરૂં;
તુજ પાસલે રાખું શીતલ પાણિ ધરી, પ્રેમની વાડ કરૂં.
સાંભળો સુંદરી એમ કહે શ્રીહરિ, જેની ફૂલમાળા કરી હું રે બાંધ્યો;
ચૌદ ભુવનતણાં બંધન છોડવું, મેં જાણ્યું તે મોહની મંત્ર સાધ્યો.
માન તું માનની, માન માગી કહું, નહીં તજું મંદિર બોલ દીધો;
નરસિંહાચો સ્વામી, સર્વે રસ લહ્યો, સુરત સગ્રામ આધીન કીધો.

પદ ૯ મું

મેહેલ પીતાંબર, અંબર માહરૂં, સુરજ ઉગ્યો સુઈ ક્યમ રહીએ;
અમ ઘર સાસુ નણંદ જૂઠી વસે, કંથ પૂછે ત્યારે શુરે કહીએ.
સાવજ શબ્દ કરે અતિ સુંદર, દીપક તેજ તો ક્ષીણ થાએ;
કંઠથી કુસુમનો હાર કરમાઈયો, બાહેર રાગ પંચમ ગાયે.
તું તારે મંદિરે, પ્રેમશું પોઢીઓ, માહરે મંદિર દૂર જાવું;
લોકની લાજ, લોપીરે લક્ષ્મીવર, હું રે વળતી હવે નહીં રે આવું.