પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૬
અખો


નવા કરતાં મનશું અખે, પ્રપંચ દીઠો ચૈતના વિષે;
નિર્મળ દર્પણ હોય અતિ સાર, તેમાં ભાસે બહુ આકાર;
જેમ તે તેમ જાણે આતમા, તએ નર કહિયે સર્વોત્તમા ૩૩૯

તમ સમજ્યો તે નર જતી, શું થયું ધોળાં ભગવાં વતી;
બોડે તોડે જોડે વાળ, એ તો સર્વ ઉપલો જંજાળ;
પ્રીછીને સંકોડે વ્યાપ, તો અખા રહે આપે આપ. ૩૪૦

ણ સમજે દાવાગિર ઘણા, વેષ વખાણે આપે આપણા;
ટળવું ઘટે ત્યાં સામો થાય, વણસમજે એમ વાંકો જાય;
પેર્યો વેષ ન વાધી ઠેક, એમ અખા કેમ થાએ એક. ૩૪૧

ખો શું કવિતાપણું કરે, જો વાત કશી ના પહોંચે શરે;
કે લેવું કે મૂકવું કહે, તે તઓ ત્યાં આઘેરું રહે;
કેવું કરતાં આવે લાજ, સમજ્યા સરખો છે મહારાજ. ૩૪૨

કેલા પડ્યે તે જડ્યું ખરું, જેણે જીવપણું જાયે પરું;
બાકીસઘળો મોહ જોડાય, મનનું ગમતું સૌ કો ગાય;
અખા અર્થ સહિત કે જો સાત, નાચે પૂત તવ લાજે માત. ૩૪૩

પા ઇચ્છાએ સગુણ જ થયો, ત્યાં કોણ શિખામણા દેવા ગયો;
પસર્યું પોત તે અકસ્માત, કાળા કર્મા શિરા મૂકે વાત;
અખા તે ઈચ્છા છે સદા,પણા જક્ત સત્ય માની જે જદા. ૩૪૪

ક્તભાવ નહીં જ્યાં લેશ, ત્યાં સત્ય મિથ્યાનો શું ઉપદેશ;
કેનાં જન્મ કર્મ રૂપ નામ, સીમા કશી જ્યાં ના મળે ગામ;
અખા નહીં જ્યાં પ્રાયઃ પિંડ, એ તો જેમનું તેમ અખંડ. ૩૪૫

કૈવલ્યને કો કેમ કરી કવે, પોતે પોતાને શું સૂચવે;
દ્વૈત વિના નહીં બેસે ઘાટ, એકલો ત્યાં નવ બોલે નાટ;
અખા લક્ષ સહિત જે દ્વૈત, તે કે તે ક્વતે છે અદ્વૈત. ૩૪૬

કોઇક સત્ય થાપે સંસાર, કોઇક સત્ત્વ કહે નિરાકાર;
બેના થાપણહારા ટળે, જેમ છે તેમ ત્યાં કે નવ કળે;
અખે મૂળ વિચાર્યું આપ, થાપણુહારનો રાખ્યો થાપ. ૩૪૭

સગુણ નિર્ગુણ કથવો રહ્યો, બાંધ્યો રુંધ્યો સ્વામી લહ્યો;
સદા હરિ બોલતો ચાલતો, ખાતો પીતો ને માલતો;
અખો કહે વેદાંતનો સાર, કૈવલ્ય બ્રહ્મ પ્રભા આકાર. ૩૪૮