આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપદેશ
અને તેને હેરાન કરવો નહિ' પરાક્રમી પુરુષ સંકટો પડતાં પણ દયા છોડતો નથી.
૫. હે મુનિ, અંદરજ યુદ્ધ કર, બીજાં બહારનાં યુદ્ધની શી જરૂર છે? યુદ્ધની આવી સામગ્રી મળવી ઘણી મુશ્કેલ છે.
ખરો સાથી
૬. વિવેક હોય તો ગામમાં રહેતાં પણ ધર્મ છે અને જંગલમાં રહેતાં પણ ધર્મ છે; વિવેક ન હોય તો બન્ને નિવાસ અધર્મ રૂપ જ છે.
ગૌતમો
૭. મહાવીરના ઉપદેશોનો અત્યંત ફેલાવો કરનાર અને એમની અતિશય ભક્તિભાવથી સેવા કરનાર એમના પહેલા અગીયાર શિષ્યો હતા. એ સર્વે ગૌતમગોત્રના બ્રાહ્મણો હતા. અગીયારે ભાઇઓ વિદ્વાન અને મોટા મોટા કુલોના અધિપતિઓ હતા. સર્વે તપસ્વી, નિરહંકારી અને મુમુક્ષુ હતા. વેદવિહિત કર્મકાણ્ડમાં પ્રવીણ હતા, પણ યથાર્થ જ્ઞાનથી શાન્તિને પામ્યા ન હતા. મહાવીરે એમના સંશયો કાપી નાખી એમને સાધુની દીક્ષા આપી.
૯૧