આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૩૫
તાણાવાણા વણી વણી
નાગરિકો તે છાયામાં નગર ગૂંથતા.
આકાશમાંથી વાદળ ઉતરે
ને જગત્ભરી પડછાયો પડે,
ત્હો ય ઉન્નત શિખર તેજસ્વી રહે :
એવો જગત્છાયાથી પર મહૌજસ્
તે રાજવીર વિરાજતો હતો.
તાણાવાણા વણી વણી
નાગરિકો તે છાયામાં નગર ગૂંથતા.
આકાશમાંથી વાદળ ઉતરે
ને જગત્ભરી પડછાયો પડે,
ત્હો ય ઉન્નત શિખર તેજસ્વી રહે :
એવો જગત્છાયાથી પર મહૌજસ્
તે રાજવીર વિરાજતો હતો.